Abtak Media Google News

પોરબંદરમાં જૈન ઉપાશ્રયનું દ્વારોદધાટન આવતી કાલે પૂ. ધીરજમુનિ ઉપલેટામાં

રાજકોટ : સ્થાનકવાસી જૈન સંઘ પોરબંદર ખાતે શય્યાદાન મહાદનનના પ્રણેતા પૂ. ધીરગુરુદેવના મંગલ પાઠ બાદ અમેરિકા સ્થિત નીખીલ અને રાજેશ દફતરી પ્રેરિત પાર્શ્ર્વનાથ જૈન ઉપાશ્રયના દ્વારોદ્રધાટન વિધિનો લાભ જશાપરવાળા શાંતાબેન પોપટલાલ મણીયાર પરિવારના તુષાર મનહરલાલ મણીયારે ચડાવાનો લાભ લઇને ધર્મકરણી માટે રજતતાળુ ખોલીને ધર્મસ્થાનક ખુલ્લુ મુકયું હતું.

તકતી અનાવરણનો લાભ રેખાબેન જગદીશ શાહે લીધો પાટનો લાભ ઉષા ભુપેન્દ્ર સંઘાણી, જયશ્રી અશોક સંઘવી, જયોતિ અનિલ બાટવીયા અને રજતમાળાનો લાભ બીના જયેશ દોશીએ લીધેલ. પૂ. શ્રી કાલે ઉપલેટા પધાર્યા બાદ ૯.૩૦ કલાકે વ્યાખ્યાન યોજાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.