Abtak Media Google News

વડોદરા શહેર નજીક આવેલી રિલાયન્સ આઈપીસીએલના પીબીઆર-2 પ્લાન્ટમાં આજે વહેલી સવારે 3:30 વાગ્યે પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. જેમાં કંપનીના ત્રણ કર્મચારીઓ બળીને ભડથું થઈ ગયા હતા. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની એસજી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

પ્રાપ્ત થતી માહિત પ્રમાણે વડોદરા શહેર નજીક કોયલી ખાતે આવેલી રિલાયન્સ આઈપીસીએલના પીબીઆર 2 પ્લાન્ટમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટના સમયે ફરજ બજાવી રહેલાં 3 કર્મચારીઓ મહેન્દ્રભાઈ જાધવ, અરૂણભાઈ ડાભી અને પ્રીતેશ પટેલ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ બનાવને પગલે કંપનીમાં અફડાતફડી મચી ગઈ હતી.

આજે વહેલી સવારે આગ લાગતાંની સાથે જ કંપનીના ફાયર ફાઈટરો પ્લાન્ટ ખાતે ધસી ગયા હતા અને પાણીનો મારો તેમજ ફર્મ પાવડરનો ઉપયોગ કરી ગણતરીની મિનિટોમાં આગને કાબૂમાં લાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.