Abtak Media Google News

ખેડુત જો પાણી ચોરે તો ૭/૧૨માં પાણીચોરીની નોંધ પડાશે: પીવાના પાણીનો બગાડ કરનારા સામે પણ કાર્યવાહી કરાશે

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ અને પાઈપલાઈનો દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે હાલમાં ઉનાળાની સિઝનમાં આકરા તાપમાન વચ્ચે લોકોને પીવાનાં પાણીની ભારે સમસ્યા સર્જાય રહી છે ત્યારે સૌરાષ્ટ્રનાં પણ છેવાડાના ગામો સુધી પુરુ પાણી નહીં પહોંચવાનાં કારણે હાલ ભારે દેકારો બોલ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની પાઈપલાઈન સાથે પાણી માટે ચેડા કરનારા તત્વોનો હવે ખેર નથી અને આ મામલામાં હાલમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ખાસ કરીને એક જાહેરનામું બહાર પાડવા માટેની ફરજ પાડેલ છે ત્યારે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામા જાહેર કરાયા બાદ પણ પાણી ચોરી કરતા તત્વો જો ન અટકે તો કાર્યવાહી કરી અને પોલીસ ફરિયાદ કરી ગુનો કર્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવનાર હોવાનું જાહેરનામામાં પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્ર દ્વારા પાણી ચોરી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં ખેતરો સુધી ખેડુતો દ્વારા ગેરકાયદેસરના પંપો મુકીને પાણી લઈ જવાય છે પરંતુ હાલમાં જો આ રીતે જોવા મળશે કે ધ્યાન ઉપર આવશે તો તંત્ર દ્વારા ૭/૧૨માં નોંધ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવવામાં આવેલ છે. આ ઉપરાંત પસાર થતી પાણીની પાઈપલાઈન સાથે જો ચેડા કરેલા ધ્યાન ઉપર આવશે તો તેવા વ્યકિતઓ સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

આ અંગે પાણી પુરવઠા વિભાગનાં સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ નિગમ લીમીટેડ, સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલો આધારીત એન.સી. ૨૬/૨૭ પહોંચાડવા માટેની કામગીરી હાલમાં કાર્યરત છે. આ પ્રોજેકટની પાઈપલાઈન સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થાય છે જે છેવાડા સુધી પુરતા પ્રમાણમાં પાણી પીવાનું પહોંચતું કરે છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાંથી પસાર થતી પાણીની પાઈપલાઈનોમાં ચેડા જો ન કરવામાં આવે અને પાણીના જથ્થાનું પાણી પીવા માટે ન્યાયીક રીતે સમાન ધોરણે વિતરણ કરવાનો ઉમદા હેતુથી લોકહિતને ધ્યાને રાખી પાણી ચોરી અટકાવવા બાબતે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જાહેર હિતમાં સુરેન્દ્રનગર જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ એન.ડી.ઝાલાએ જાહેરનામું બહાર પાડીને જીલ્લામાંથી પસાર થતી જીડબલ્યુઆઈએલ પ્રોજેકટ પીવાના પાણીથી શરૂ થાય છે.

ત્યારે આ પીવાના પાણીની પાઈપલાઈનમાંથી જો સંસ્થા કે ખાતેદાર બિનઅધિકૃત રીતે જો પાઈપલાઈન ઉપર લગાવેલ એર વાલ્વ, સુઝ વાલ્વ, સ્કાર વાલ્વ, જીરો વેલો સિટી વાલ્વ સાથે ચેડા કરીને ખેતરોમાં જો પિયત કરવાની આ કામગીરી કરાવી અથવા પાઈપ લાઈનો તોડીને પાણીની ચોરી કરવામાં આવે અથવા તો કોઈ વ્યકિત સંસ્થા કે ખાતેદારનાં ખેતરમાં આવેલ પાઈપલાઈન તેમજ એર વાલ્વના સાથે ચેડા કરી ભુગર્ભ, પાઈપલાઈન નેટવર્ક મારફતે અન્ય ખેતરમાં ગેરકાયદેસર રીતે જો પીવાના પાણીની ચોરી કરીને બગાડ કરવામાં જો આવે તો કાર્યવાહી અને સજાની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત ખેત તલાવડી કરીને ઈલેકટ્રીક કે ડિઝલ મશીનરી મારફતે પણ જો ખેતરોમાં પિયત કરવાની કામગીરી કરવી નહીં. પાણીનો દુરઉપયોગ કરનારા, બગાડનારા વેચાણ કરવાવાળા આ નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. આમ પાણી ચોરી કરનાર ઉપર હવે આકરી કાર્યવાહી કરવા માટે જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે ત્યારે પાણી ચોરી કરનાર તત્વોમાં પણ જાહેરનામું બહાર પડતા ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.