Abtak Media Google News

આરબીઆઈએ 500 રૂપિયાના નોટની નવી સીરીઝ વાળી ચલણી નોટ જાહેર કરવાની તૈયારી કરી લીધી છે. નવી ચલણી નોટ નોટબંધી પછીની જાહેર થયેલી 500 રૂપિયાની નોટ કરતાં ઇનસેટ લેટર કરતાં અલગ છે. આ પહેલા આરબીઆઇએ નોટબંધી પછી દેશમાં નવી સીરીઝની 500ની અને 1000 રૂપિયાની ચલણી નોટ જાહેર કરી હતી. એ સમયે નવી સીરીઝની ચલણી નોટના નંબર પૈનલમાં અંગ્રેજી અક્ષર “E” છાપાયું હતું. હવે આરબીઆઇએ 500 રૂપિયાની નવી સિરીઝ અંગ્રેજી અક્ષર “A” સાથે જાહેર થવા જઈ રહી છે. આ નોટમાં આરબીઆઇ ગર્વનર ઊર્જિત પટેલના હસ્તાક્ષર સાથે ઈયર ઓફ પ્રિંટિંગ 2017 હશે. તો બીજી નવી ખાસ વાત એ છે કે આમાં બીજી બાજુ સ્વચ્છ ભારતનો લોગો પ્રિન્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે 8 નવેમ્બરે નોટબંધીની ઘોષણા કરી હતી અને 500 અને 1000 રૂપિયાની ચલણી નોટોને રદ્દ કરી દીધી હતી. આ રીતે બજારમાં પડેલી લગભગ 87 ટકા રોકડ ચલણથી બહાર થઈ ગઈ હતી. રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગર્વનર બી પી કાનૂનગોએ આ સાથે જ કહ્યું કે વ્યવહારમાં ચલણી નોટ ઓછી છે તેમ કહવું ખોટું છે. જ્યારે તેને સ્વીકાર્યું કે કેટલાક વિસ્તારોમાં ચલણમાં ઘટાડો થઈ શકે છે. પણ આરબીઆઇ નિયમિત રીતે દેખરેખ રાખે છે અને ચલણ ઉપલબ્ધ થઈ એ માટે પ્રયાપ્ત બંદોબસ્ત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.