Abtak Media Google News

સૌરાષ્ટ્ર જાણે કૃણ્ણનાં રંગે રંગાયું હોય તેમ ઠેર ઠેર કૃષ્ણજન્મનાં વધામણાને લઇને ઉજવણી થઇ રહી છે. સૌરાષ્ટ્ર કૃષ્ણમય બની ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે.

શહેરના મવડી ચોકડીથી 9 કલાકે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ત્યારે આ શોભાયાત્રાને જોવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં છે. આ સાથે જ દ્વારકામાં પણ ભવ્ય શોભાયાત્રા નીકળી છે. જેને જોવા માટે હજારો ભાવિક ભક્તો ઉમટી પડ્યાં છે.

રાજકોટ રથયાત્રાના દર્શન કરવા માટે ચોકે ચોકે લોકો ઉમટી પડ્યા છે. હજારોની સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા છે. તેમજ શહેરના દરેક સર્કલ પરની બિલ્ડિંગો પર લોકો ચડી જઇ રથયાત્રાને નિહાળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.