રંગોળી કલ્પના અને ગૃહસુશોભનની એક અનોખી કળા છે. ભારતીય સંસ્કૃતિમાં રંગોળીઓ આલેખાતી રંગબેરંગી ભાત-ભાતની રંગોળીઓ આલેખાતી જોવા મળે છે. ત્યારે જી.કે. ધોળકિયા સ્કૂલ પ્રિ-પ્રાયમરી અને પ્રાયમરી અંગ્રેજી માધ્યમના વાલીઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. કલાત્મક રંગોળીએ જેવી કે રાધા-કૃષ્ણ, મોર, રામ-સીતા, ગણેશજી તથા કુદરતી દ્રશ્ય વગેરે બનાવી આપણી પરંપરા અને સંસ્કૃતિ પ્રમાણે સ્કૂલના આંગણાને સુશોભિત બનાવ્યું હતું. આ તકે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા તથા જીતુભાઈ ધોળકિયાએ વાલીઓને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા