Abtak Media Google News

સામરવરણીમાં આવેલી કૃષ્ણ કંપનીના પ૦ થી વધુ કામદારોએ કલેકટર કન્નડ ગોપીનાથન સાથે અનીલ દાદરાનગર હવેલી કામદાર સંઘના મહામંત્રી ઇન્દ્રજીત પરમારની આગેવાનીમાં મુલાકાત લીધી આ દરમિયાન બધા કામદારોએ કલેકટરને પોતાની સમસ્યાઓ અંગે વાત કરી કૃષ્ણ કંપની ના કોલોનીમાં લગભગ ૩૦૦ વર્કર રહે છે અને આ વર્કર કંપની પ્રબંધન દ્વારા કોઇને કોઇ રુપે પરેશાન કરવામાં આવે છે.

અને તેમને ત્યાં રહેવામાં પણ મુશ્કેલી ઉભી કરાય છે. કંપની દ્વારા ૩ મહીના નો પગાર પણ કામદારોને અપાયો નથી. જેનાથી પરેશાન થઇને પ૦ કામદારોએ પૂર્વ સાંસદ મોહન ડેલકર સાથે મુલાકાત કરી અને પછી ઇન્દ્રજીત પરમાર ની આગેવાનમાં કલેકટર સાથે પણ મુલાકાત કરી કલેકટરે આશ્વાસન આપ્યું કે તેમની સમસ્યાઓનું સમાધાન ઝડપથી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.