Abtak Media Google News

સરકાર દ્વારા સસ્તા અનાજ દુકાન મારફત ગરીબ પરિવારોને અનાજ સસ્તા ભાવે અપાતું હોય છે જોકે અનેક સ્થળોએ અનાજની ગુણવત્તાને લઈને સવાલો ઉભા થતા હોય છે જેમાં માળિયા તાલુકાના ખાખરેચી ગામે સસ્તા અનાજ દુકાને વિતરણ કરાતું અનાજ નબળી ગુણવત્તાનું હોવાની ફરિયાદો ઉઠી રહી છે

માળિયા તાલુકાના ખાખરેચી ગામે સસ્તા અનાજ દુકાન પરથી મળતા ઘઉં સહિતના અનાજની ગુણવત્તા અત્યંત નબળી હોવાની ફરિયાદો ઉઠી રહી છે ગામના રણછોડભાઈ બાબરિયાના જણાવ્યા અનુસાર સસ્તા અનાજની દુકાનેથી જે અનાજ અપાય છે તે મનુષ્ય તો ઠીક પરંતુ ઢોર પણ ના ખાય તેટલી હલકી ગુણવત્તાનું છે અને અનાજમાં જીવડા પણ જોવા મળે છે જેથી સારી ગુણવત્તાનું અનાજ વિતરણ થાય તે માટે તંત્ર યોગ્ય પગલા ભરે તેવી માંગ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.