Abtak Media Google News

રણબીરના ઘરે પરિવાર સાથે આલીયાએ લીધુ ડીનર

બોલીવુડની કયુટ જોડી રણબીર કપુર અને આલીયા ભટ્ટનો પ્રેમ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યો છે ત્યારે રણબીરે કહ્યું કે અનુપમા ચોપરના એક ટોક શોમાં જણાવ્યું હતું કે, પ્રેમનો અહેસાસ આહલાદક હોય છે. આગામી ફિલ્મ બ્રહ્મસુત્રની કો-સ્ટારને કેટીંગ કરી રહેલા રણબીર કહે છે કે વિશ્ર્વમાં સૌથી સુંદર કોઈ લાગણી, અહેસાસ હોય તો તે પ્રેમ છે.

જયારે તમે પ્રેમમાં પડો છો ત્યારે બધુ જ ગમવા લાગે છે. જોકે રણબીર પહેલી વખત પ્રેમ વિશે બોલ્યા તેવું નથી. જોકે આલીયા-રણબીરની ડેટીંગ તો ઘણા સમયથી ચર્ચામાં છે. અભિનેતા અવાર-નવાર આલિયાના વખાણ કરતા નજરે પડે છે. હું જયારે તેનું કામ જીવન અને એકટીંગ જોવ છું ત્યારે મને અંદરથી ખુબ જ સારો અહેસાસ થાય છે. સોનમ કપુર અને આનંદ સહુજાના રિસેપ્શનથીજ આલીયા-રણબીરની અફવાઓએ જોર પકડયું હતું.

જોકે આલીયા રણબીરના સ્ટુડીઓમાં અવાર નવાર નજરે પડી છે. બુધવારે રાત્રે આલીયા ભટ્ટ રણબીર કપુર અને સંજય દત સાથે તેના પિતા રિશી કપુરની મુલાકાતે તેના ઘરે પણ ગઈ હતી. આલીયા રણબીરના ઘરે ડિનર લે તે પહેલા તેની માતા નીતુ કપુર અને બહેન રિદ્ધિમાં કપુર સાહનીને મળી હતી. આલીયાને ડેટીંગ કર્યા પહેલા રણબીર એ બચના એ હસીનોથી પ્રખ્યાત દિપીકા પાદુકોણને પણ ડેટ કરી હતી અને ત્યારબાદ કેટરીના અને પાકિસ્તાની અભિનેત્રી માહીરા ખાન પણ તેની લીસ્ટમાં સામેલ છે. રણબીર હાલ તેની ફિલ્મ સજજુના રીલીઝની વાંટ જોઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.