પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે ત્યારે રાજકોટ શહેરનાં નાના મોટા શિવાલયોમાં ભગવાન ભોળાનાથનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શિવમંદીરોમાં શિવભકતોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે વિશેષ ઉલ્લેખ કરીએ તો જામનગર રોડ ઉપર આવેલા ભોમેશ્ર્વર મહાદેવ મંદીરમાં આજે શ્રાવણ માસના દ્વીતીય સોમવારે રાજકોટ રાજવી પરિવારના જયદીપસિંહજી ઉર્ફે રામરાજા તથા શિવાત્મીકાબા ઉર્ફે ટીકારાણીએ મહાદેવજીનું અબીલ ગુલાલ દૂધ તલ ચંદન તેમજ બિલ્વપત્ર દ્વારા વિશેષ પુજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ભોમેશ્ર્વર મહાદેવ મંદીરની ઇ.સ. ૧૯૪૪ મા રણછોડદાસજી મહારાજનાં સાનિઘ્યમાં ઠાકોર સાહેબ પ્રદયુમનસિંહજી તથા અ.સૌ. રાણી સાહેબા નરેન્દ્રકુમારીબા તથા રાજવી પરીવાર દ્વારા પ્રતિષ્ઠાયન વિધિ કરવામાં આવી હતી. એ સમયથી જ દરવષરે વિશેષ શ્રાવણ મહિનામાં રાજવી પરીવારના સભ્યો દ્વારા અહીં ભોમેશ્ર્વર ભોળિયાનું પૂજન-અર્ચના કરી ધન્યતા અનુભવે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી