Abtak Media Google News

સામાન્ય રીતે જેઠ મહીના ના પ્રારંભ માજ વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે પરંતુ અધીક માસ તેમજ અધીક જેઠ માસ તેમજ નીજ જેઠ પણ પૂર્ણ થવા ને આરે છે ત્યારે મેઘરાજા એ લીધેલાં રીસામણાં થી જગત નો તાત તેમજ દરેક વ્યક્તિ ચાતક ની જેમ વરસાદ ની રાહ જોઈ રહ્યા છે

ત્યારે પણ મેઘરાજા મન મુકીને વરસતાં નથી માટે એમને મનાવવા ધોરાજી તાલુકા નુ ભોળા ગામ ના લોકો વરૂણ દેવ ને વિનવિ રહ્યા છે ભોળા ગામ માં આવેલ મંદિર માં અવિરતપણે હરે રામ હરે ક્રિષ્ના ની અખંડ ધૂન કરી રહયાં છે બસ હવે વરૂણ દેવ કૃપા કરી મનમુકી વર્ષે તો જગતનો તાત તેમજ દરેક જીવ ખુશ થઈ જાય એટલા માટે લોકો ભગવાને પ્રાર્થના પુજા અર્ચના કરી રહયાં છે

ત્યારે ધોરાજી નાં ભોળા ગામે છેલ્લા ચાર દિવસથી ભોળા ગામ નાં લોકો એ મેઘરાજા ને રીઝવવા માટે અખંડ રામધુન નું આયોજન કરવામાં આવ્યું છે જયાં સુધી મેઘરાજા ના પધરામણી નહીં થાય ત્યાં સુધી આ અખંડ રામધુન ચાલું રહેશે ધોરાજી તાલુકા ના ભોળા ગામ અખંડ રામધુન ચાલું ત્યારે ઠેરઠેર દરેક ધાર્મિક સ્થળો માં પ્રાર્થના ઓ કરવામાં આવી રહી છે

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.