Abtak Media Google News

સુરવો ડેમ ભરેલ હોવા છતાં છેલ્લા 20 વર્ષીથી લોકોને નહેર માં પાણી છોડાતું નથી

જેતપુર તાલુકાના ચારણીયા, સ્ટેશન વાવડી સહિતના ચાર ગામોને સુરવો ડેમ -૧ બન્યો ત્યારથી આજ સુધીમાં એક પણ વાર માઇનોર કેનાલમાં દ્વારા પાણી આપવામાં ન આવતા આ ચાર ગામોના ખેડૂતો દ્વારા કેનાલમાં બેસી તેમાં રંગોળી દોરી રામધૂન બોલાવી પિયત માટે પાણીની માંગણી કરી હતી.

Untitled 1 8અમરેલી જીલ્લાના વડીયા ગામના ઉપરવાસ વિસ્તારમાં પચીસેક વર્ષ પૂર્વે સુરવો ડેમ -૧ બનાવવામાં આવ્યું હતો અને ડેમનું પાણી પિયત માટે મળી રહે તે માટે કેનાલ પણ બનાવવામાં આવી હતી આજ સુધીમાં એકપણ વાર આ ચાર ગામોને કેનાલ દ્વારા પાણી જ ન મળતા કેનાલમાં ઝારીઝાંખડા ઉગી નીકળ્યા છે અને કેનાલ પણ સાવ બુરાય ગઈ છે ચાલુ વર્ષે વરસાદ પણ નહીંવત પડતા પાક સૂકાવા લાગ્યો જેથી ચારેય ગામના ખેડૂતો પાણીની માંગણી માટે થઈને આજે કેનાલમાં રંગોળી દોરી તેમાં દીવડાઓ કરી રામધૂન બોલાવીને પાણી આપવાની માંગ કરી હતી અને જ્યાં સુધી કેનાલ દ્વારા પાણી નહીં મળે ત્યાં સુધી જુદી જુદી રીતે વિરોધ કરતા જ રહેશું તેવું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.