Abtak Media Google News

શુક્રવારે બીજ નિમિતે કાર્યક્રમ: જીતુભાઈ પંડયા સંતવાણીમાં ભજનોની રમઝટ બોલાવશે: આયોજકો ‘અબતક’ના આંગણે

શહેરની પ્રસિદ્ધ ગૌસેવા સંસ્થા રૈયાધાર ગાંધીગ્રામ ખાતે આવેલ રાધેશ્યામ ગૌશાળા ખાતે આગામી તા.૧૯ને શુક્રવારે બીજ નિમિતે રામદેવપીરના પાઠ રાખેલ છે. ગાદીપતી પ્રભુદાસબાપુ ગોંડલીયા રહેશે અને કોટપાળમાં કનુભાઈ અને ભગવાનજીભાઈ રહેશે. ગૌશાળામાં બારે-બાર બીજના પાઠ થાય છે. દર ગુરુવારે સંતવાણી થાય છે.

દરરોજ ૪૫૦ થી ૫૦૦ છોકરા બટુક ભોજન કરે છે. ૫૦૦ જેટલી ગૌમાતાની સેવા થાય છે. સંચાલક રાધેશ્યામભાઈ તથા સહયોગી સંત પૂ.શંકર મહારાજ અને વૈજયન્નીબાપુ છે. ૧૯મીએ રાત્રે ૯ વાગ્યે સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં જીતુભાઈ પંડયા તથા અનેક નામી અનામી કલાકારો હાજરી આપશે અને ભજનોની રમઝટ બોલાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.