Abtak Media Google News

વડોદરાના સનાતન ધર્માનુરાગી પરિવાર દ્વારા આગામી જૂન માસના

પ્રારંભથી હાલમાં ચાલતા પાવન પુરૂષોતમ માસમાં દ્વારકાના જગદગુરૂ શંકરાચાર્યજી મહારાજના પરમશિષ્ય દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના વ્યાસસ્થાનેથી વાલ્મીકી કૃત રામાયણનું નવદિવસીય શ્રીરામકથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. વડોદરાના અકોટા સ્થિત સર સયાજીરાવ ગાયકવાડ નગરગૃહમાં યોજાનાર આ દિવ્ય

રામકથા તા.૧ જૂનથી ૯ જૂન સુધી સાંજે ૪.૩૦ થી ૭.૩૦સુધી યોજવામાં આવનાર છે.દંડીસ્વામીજીનાં સ્વરે શ્રી રામકથા જ્ઞાનયજ્ઞનો સાંભળવા હજારો ભકતજનો ઉપસ્થિત રહેનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.