Abtak Media Google News

આતંકવાદીઓનો ખાત્મો કરવાની ખુશી સમગ્ર વડીયા પંથકમાં જોવા મળી

વડીયાના બસસ્ટેન્ડ થી શિવાજી ચોક સુધી પાકિસ્તાન મુરદાબાદના નારા સાથે મેઈન બજારમાં રેલી કાઢી શિવાજી ચોક ખાતે પાકિસ્તાન ના જંડાને સળગાવ્યો અને ફટાકડા ફોડી લોકોને પેંડા ખવડાવી લોકોના મો મીઠા કરાવ્યા

તા ૧૪ ના રોજ પુલવાવમાં આતંક વાદીઓએ દેશના જવાનોની બસ પર હુમલો કર્યો હતો તે સમયે દેશના ૪૦ જેટલા જવાનોએ શહીદી વ્હોરિ હતી ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જવાનોની શહીદી એળે નહીં જવા દઉં પાકિસ્તાનને મુતોડ જવાબ આપીશ આજે વહેલી સવારે વાયુ સેના દ્વારા હવાઈ માર્ગે પાકિસ્તાનમાં ઘુસી બોમ્બ મારો કરી અંદાજિત ૩૫૦ જેટલા આતંકવાદીઓ ને ઠાર કરી મુતોડ જવાબ આપ્યો છે તેની ખુશી વાડિયામાં જોવા મળેલ હતી આતકે વડિયા ભાજપના કાર્યકર્તાઓ અને લોકો વહેપારીઓ સહિત મોટી સંખ્યામાં રેલી યોજી પાકિસ્તાન મુરદાબાદના હિંદુસ્તાન જીંદાબાદ ના નારા સાથે ખુશી વ્યક્ત કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.