Abtak Media Google News

જરૂરતમંદ પરિવારોને નિ:શુલ્ક એલપીજી ગેસ સિલિન્ડર કનેકશન મળે તે માટે આ યોજના ફરી શરૂ કરવા માંગ

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં  નજીવા ખર્ચે માં એલપીજી ગેસ સિલિન્ડર કનેકશન આવવામાં આવતા હતા આ યોજના નો લાભ બીપીએલ ની મહિલાઓને મળતો હતો કેન્દ્ર સરકાર દ્વારા ૮ લાખ પરિવારોને ગેસ કનેક્શન આપવાનો લક્ષ્યાંક મૂક્યો હતો. ત્યારે સરકાર દ્વારા આ યોજના ૩૦ સપ્ટેમ્બર નાં રોજ સમાપ્ત કરી દેવામાં આવી છે તો બીજી ગેસ કનેક્શન ધારકો ને મળતી સબસિડી પણ મે મહિનાથી બંધ કરવામાં આવેલ છે ત્યારે આ અંગે રાજુલા નાં યુવા આગેવાન અજય શિયાળ દ્વારા પ્રધાનમંત્રી કાર્યાલય માં ઓનલાઇન રજૂઆત કરતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વર્ષ ૨૦૧૬ માં ચાલું કરવામાં આવી હતી તેમાં બીપીએલ પરિવારોની મહિલા લાભાર્થીઓને નિ:શુલ્ક એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવતા હતા જે યોજના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા ૩૦ સપ્ટેમ્બર મહિનામાં બંધ કરવામાં આવી છે અને મળતી માહિતી અનુસાર એલપીજી ગેસ સિલિન્ડર કનેકશન ધારકો ને મળતી સબસિડી પણ મે મહિનાથી બંધ કરવામાં આવી છે જેના કારણે ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને ગેસ સિલિન્ડર મોંઘા પડી રહ્યા છે હાલ કોરોના વાઈરસ મહામારી અને આર્થિક મંદી નાં સમયમાં આ પરિવારો નું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઇ ગયું છે બીજી તરફ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બંધ થવાથી ગરીબ અને સામાન્ય વર્ગનાં પરિવારો ને એલપીજી ગેસ સિલિન્ડર કનેકશન લેવું પણ મુશ્કેલ છે નવા ગેસ કનેક્શન લેવા માટે ૬ થી ૭ હજાર જેવો ખર્ચ થાય છે એટલો ખર્ચ કરવો આવાં પરિવારો માટે મુશ્કેલ છે ત્યારે એલપીજી ગેસ સિલિન્ડર કનેકશન ધારકોની બંધ થયેલી સબસિડી તેમના બેંક એકાઉન્ટ માં જમા કરવામાં આવે અને જે પરિવારો નું નામ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનાં લાભાર્થી ઓની યાદીમાં નહોતું એવાં જરૂરીયાતમંદ પરિવારો ને નિ:શુલ્ક એલપીજી ગેસ સિલિન્ડર કનેકશન મળી રહે તે માટે આ યોજના ફરી ચાલુ કરવામાં આવે તેમજ સબસિડી પણ ચાલુ રાખવા આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.