Abtak Media Google News

કરણીસેનાના અધ્યક્ષ મહિપાલસિંહજી મકરાનાનો અભિવાદન કાર્યક્રમ લોકેન્દ્રસિંહજી કાલવી સાહેબના અધ્યક્ષ સ્થાને તા.૬ સપ્ટેમ્બરના રોજ યોજાશે જેની વિગત આપવા માટે આયોજકોએ ‘અબ્તક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. કાર્યક્રમને ભવ્ય બનાવવાના ઉદેશથી રાજકોટ કરણી સેના ટીમની મીટીંગ મળી ગઈ અને તેમાં નકકી થયા મુજબ સૌરાષ્ટ્ર પ્રભારી રાજભા ઝાલાના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રના ક્ષત્રીય સમાજના સંતો મહંતો, રાજપરિવારના સભ્યો સમાજના અલગ અલગ સંગઠનના આગેવાનો, સૌરાષ્ટ્રના આ સામાજીક કાર્યક્રમને દિપાવવા સમગ્ર ક્ષત્રીય સમાજને બહોળી સંખ્યામાં હાજર રહેવા રાજપુત કરણીસેના, રાજકોટ ટીમના પ્રભારી જે.પી.જાડેજા અધ્યક્ષ ક્રિપાલસિંહ ઝાલા, યશપાલસિંહ જાડેજા, શકતિસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, શકિતસિંહ વાઘેલા, શકિતસિંહ પરમાર, શિવરાજસિંહ ઝાલા, ભરતસિંહ ચુડાસમા, લકકીરાજસિંહ જાડેજા, પૃથ્વીસિંહ જેઠવા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ નિમંત્રણ પાઠવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.