Abtak Media Google News

મેઘમાયાનગરનાં યુવકના મોતથી પરિવારમાં શોક

કોટડા સાંગાણી તાલુકાના શાપર વેરાવળ નજીક ટ્રેન હેઠળ રાજકોટના યુવક કપાય જતા મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે. પોલીસે કાગળો કરી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપર વેરાવળ નજીક રેલવે ફાટક પાસે યુવાન લોહીલુહાણ હાલતમાં પડયા હોવાની રેલવે સતાવાળા અને શાપર વેરાવળ પોલીસ મથકના સ્ટાફને થતા ઘટના સ્થળે દોડી ગયા હતા.

પોલીસની પ્રાથમિક તપાસ મૃતક ટ્રેન હેઠળ આવી જતા મોત નિપજયું હતુ અને મૃતકના ખિસ્સામાંથી મળેલા ઓળખકાર્ડના આધારે મૃતક રાજકોટના નાના મવા મેઈન રોડ નજીક મેઘમાયા નગર શેરી નં.૧માં રહેતો પ્રફુલ મનુભાઈ પટેલ નામના ૪૦ વર્ષિય યુવાન હોવાનું પોલીસે મૃતકનું પી.એમ. કરાવી પરિવારને મૃતદેહ સોપી કાગળો કરી મોતનું કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.