Abtak Media Google News

રાજકોટના પ્રધ્યુમન પાર્ક ઝૂમાંથી ઘુવડ ગુમ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.  ઘુવડ તાંત્રિક વિધિ માટે ચોરાયું હોવાની ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે.

ઝૂમાં ઘુવડના પીંજરાને તોડીને કોઇ ચોરી કરી ગયાની શંકા સેવાઇ રહી છે. પીંજરાના પાછળના ભાગમાં આવેલી ઝાળી તોડેલી હોવાથી કોઇએ ચોરી કરી હોવાની દ્રઢ શંકા સેવાઇ રહી છે.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના પ્રધ્યુમન પાર્ક ઝૂમાંથી રાત્રિના ઘુવડનું પાંજરૂ તોડી કોઇ ચોરી ગયાની શંકા સેવાઇ રહી છે. તો બીજુ બાજુ આ ઘૂવડ પાંજરામાંથી ઉડી પણ ગયુ હોય તેમ બની શકે. આથી પ્રાણી સંગ્રહાલયની સુરક્ષી સામે ગંભીર સવાલો ઉભા કરે છે. તેમજ જવાબદારો સામે પગલા લેવાય તેવું પણ બની શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.