Abtak Media Google News

બગોદરા નજીક બસ પલ્ટી ખાતા ઘવાયેલાઓને સારવાર અર્થે ખસેડાયા

રાજકોટ અમદાવાદ ધોરી માર્ગ પર આવેલા બગોદરા નજીક મીની બસ પલ્ટી મારી જતા પાવાગઢ દર્શન કરવા જઈ રહેલા રાજકોટના પરિવારને અકસ્માત નડયો હતો. અકસ્માતમાં પાંચ વ્યકિતને ઈજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ચુનારાવાડ વિસ્તારમાં રહેતો દેવી પૂજક પરિવારના બારથી તેર લોકો ભાડાની મીની બસમાં પાવાગઢ દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે બગોદરા નજીક અકસ્માતે બસ પલ્ટી ગઈ હતી જેમાં પ્રેમજીભાઈ મનજીભાઈ રાઠોડ ઉ.૬૩ કમળાબેન પ્રેમજીભાઈ રાઠોડ ઉ.૫૦, ગોવિંદભાઈ અશોકભાઈ રાઠોડ ઉ.૩૦, સુનિતા ગોવિંદભાઈ રાઠોડ ઉ.૨૮ અને સોનીબેન પ્રકાશભાઈ રાઠોડ ઉ.૨૫ને ઈજા થતા સારવાર અર્થે બગોદરા બાદ વધુ સારવાર માટે અહીની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.