વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રાજકોટની ધરતી પર સૌની યોજનાનું લોકાર્પણ કરી નર્મદાના નીરને આજી ડેમમાં વધાવશે ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ રાજકોટવાસીઓને અપીલ કરતા જણાવ્યું છે કે, આવતીકાલે રાત્રે ૭:૩૦ થી ૮:૩૦ વચ્ચે દરેક લોકો પોતાના ઘરમાં દિવાળીની જેમ દિવો પ્રગટાવી માં નર્મદાને વંદન કરે અને નર્મદે સર્વદે સાચા અર્થમાં ચરિતાર્થ કરે. નર્મદાના નીર આજીડેમમાં અવતર્યા છે ત્યારે વડાપ્રધાન પણ આવતીકાલના શુભ અવસરે સૌની યોજનાનું લોકાર્પણ કરશે ત્યારે રાજયના મુખ્યમંત્રી અને રાજકોટના લોકલાડીલા વિજયભાઈ ‚પાણીએ વડાપ્રધાનના આગમન અને નર્મદાના નીરને રાજકોટમાં વધાવવા માટે રાજકોટ વાસીઓને પોતપોતાના ઘરે દિપ પ્રગટાવી માં નર્મદાને વંદન કરવા જાહેર જનતા જોગ અપીલ કરી છે.
Trending
- ભારતીય વાયુસેનાનું જાસૂસી વિમાન જેસલમેરમાં ક્રેશ થયું
- RSPL ઘડી કંપની સામે ખેડૂતો જીત્યા
- મીઠી મધુર કેરીઓ વિશ્વમાં ડંકો વગાડી રહી છે
- જ્ઞાનવાપી કેસના ન્યાયાધીશને આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી મળી રહી છે ધમકી
- પ્રાચીન યુગની વસ્તુઓનો અભ્યાસ કરતાં ભયાનક સત્ય સામે આવ્યું…જાણીને અચંબિત થઈ જશો
- JEE મેઈનમાં સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું
- પાન સાથે આધાર લિંક નહીં હોય તો પણ TDS ડબલ નહીં લાગે
- કાલે લોકસભાના બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 બેઠકો ઉપર મતદાન થશે