Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રાજકોટની ધરતી પર સૌની યોજનાનું લોકાર્પણ કરી નર્મદાના નીરને આજી ડેમમાં વધાવશે ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ રાજકોટવાસીઓને અપીલ કરતા જણાવ્યું છે કે, આવતીકાલે રાત્રે ૭:૩૦ થી ૮:૩૦ વચ્ચે દરેક લોકો પોતાના ઘરમાં દિવાળીની જેમ દિવો પ્રગટાવી માં નર્મદાને વંદન કરે અને નર્મદે સર્વદે સાચા અર્થમાં ચરિતાર્થ કરે. નર્મદાના નીર આજીડેમમાં અવતર્યા છે ત્યારે વડાપ્રધાન પણ આવતીકાલના શુભ અવસરે સૌની યોજનાનું લોકાર્પણ કરશે ત્યારે રાજયના મુખ્યમંત્રી અને રાજકોટના લોકલાડીલા વિજયભાઈ ‚પાણીએ વડાપ્રધાનના આગમન અને નર્મદાના નીરને રાજકોટમાં વધાવવા માટે રાજકોટ વાસીઓને પોતપોતાના ઘરે દિપ પ્રગટાવી માં નર્મદાને વંદન કરવા જાહેર જનતા જોગ અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.