Abtak Media Google News

વાંકાનેરના અમરસર ફાટક નજીક જમાઈ સાથે બાઇક પર રાજકોટ આવી રહેલા મહિલાનું ચાલુ બાઈકે પડી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે વાંકાનેરના અમરસર ફાટક નજીક પોતાના જમાઈ પરેશભાઈ સાથે રાજકોટ તરફ આવી રહેલા અનસૂયાબેન નાનજીભાઈ કેરાલિયા ઉ. ૫૫, રે. ગાંધીસ્મૃતિ સોસાયટી, પેડક રોડ રાજકોટ વાળાને અચાનક ઉલટી થઈ હતી અને બાઇક પરથી નીચે પડી ગયા હતા.

વધુમાં બાઇક પરથી પડી ગયેલા અનસૂયાબેનને પ્રથમ વાંકાનેર સારવાર આપવામાં આવી હતી અને બાદમાં રાજકોટ ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.