Abtak Media Google News

રાજકોટના પ્રબુદ્ધ નાગરિકોના મતે પક્ષ કોઇપણ હોય લોકોની સવલતો પુરી થવી જોઇએ

રાજકોટની સ્માર્ટ પ્રજા ૨૧ ફેબ્રુઆરીએ સ્માર્ટ નગરસેવકો પર વિશ્ર્વાસ મુકશે: ૨૩મીએ પરિણામ

વોર્ડ નં. ૧૦ થી ૧૮માં લોકો સ્માર્ટ બન્યા અને નગરસેવકોને પણ સ્માર્ટનેસ તરફ આગળ વધવા ફરજ પાડી

રાજકોટ કોર્પોરેશન ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.૨૧ ફેબ્રુઆરીએ મતદાન બાદ ૨૩ ફેબ્રુઆરીએ ઉમેદવારોના ભાવિ નક્કી થઈ જશે ત્યારે છેલ્લા ૫ વર્ષમાં કોર્પોરેટરોએ વોર્ડમાં કરેલા કામો દ્વારા લોકો કેટલા સંતુષ્ટ છે? તે જાણવાનો પ્રયત્ન અબતક ચેનલ દ્વારા કરવામાં આવ્યો હતો.વોર્ડ ૧ થી ૧૮ ના એન.જી.ઓ, જ્ઞાતિ અગ્રણીઓ સહિત પ્રબુદ્ધ નાગરિકોએ અબતક ચેનલને વોર્ડની હાલની સ્થિતિ તેમજ આવનારા વર્ષોમાં રહેવાસીઓની મહત્વકાંક્ષાઓ વર્ણવી હતી. રાજકોટના રહેવાસીઓ સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ નગર સેવકો ઈચ્છે છે.

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. શહેર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેમજ અનેક વોર્ડના ઉમેદવારો પણ નક્કી થઈ ચૂક્યા છે. ટિકિટના અપેક્ષિત ઉમેદવારોથી લઈને કાર્યકરો અને સંગઠના હોદ્દેદારોએ નિરીક્ષકોને પોતાની રજુઆત કરી છે. આ વખતે ઉમેદવાર પસંદગી માટે ખાસ અપેક્ષાઓ તમામ પાર્ટીએ રાખી છે જેમાં ઉમેદવાર નું સામાજિક કામોનું બેકગ્રાઉન્ડ, સોસીયલ મીડિયામાં તેની પહોંચ, સ્થાનિક લેવલે લોકપ્રિયતા, પાર્ટી માટે કરેલા કામો અને લાયકાત ગણવામાં આવી રહી છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની સેન્સ ની પ્રક્રિયા પહેલા શહેર ભાજપના ૪ થી ૫ દિગજ્જ નેતાઓએ ચૂંટણી ન લડવાની વાત કરી છે જેમાં નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, કશ્યપ શુક્લ, અરવિંદભાઈ રૈયાણી સહિતના અગ્રણીઓએ ચૂંટણી ન લડવા માટે પોતાની વાત દર્શાવી ચુક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપને ૩૮ અને કોંગ્રેસને ૩૪ બેઠકો મળતા કોંગ્રેસ ઉમેદવારો અને કાર્યકરોનો ઉત્સાહ બમણો છે તો સાથેજ આ વર્ષે ત્રીજી પરિબળ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવી જીતાડવાનો પ્રયત્ન કરી રહી છે.ત્યારે આવનારા દિવસોમાં રાજકોટ મહાનગર પાલિકામાં કોણ બાજી મારશે? તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના ૧૮ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ૭૨ ઉમેદવારો માટે કુલ ૭૮૪ જેટલા અપેક્ષિત વ્યક્તિઓ સેન્સ પ્રક્રિયામા આવ્યા હતા. ભાજપ અગ્રણીઓ પુષ્પદાનભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ, જાગૃતિબેન પંડ્યા,મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઈ ત્રિવેદી ,આદ્યશક્તિબેન મજમુદાર ,બાબુભાઈ બોખીરિયા,ભરતસિંહ ગોહિલ, બીજલબેન પટેલ,નરહરિભાઈ અમીન, માધાભાઈ બોરીચા અને નિમુબેન બાંભણીયા દ્વારા સેન્સ લેવામાં આવી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના અગ્રણીઓ દ્વારા “ટીકીટ” માટે કોઈ પણ પ્રકારની ભલામણ ચલાવવામાં નહીં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ભાજપ દ્વારા પેઈજ સમિતિની રચના કરી પેઈજ પ્રમુખો પણ બનાવવામાં આવ્યા છે.જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પેઈજ પ્રમુખ બન્યા છે. પેઈજ સમિતિ દ્વારા ગ્રાઉન્ડ લેવલે ભાજપે માઇક્રો પલાનિંગ કર્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા નગરજનોને વિકાસરૂપી અંધારા માંથી બહાર આવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

વોર્ડ-૧૪

વોર્ડ નં ૧૪ એ ઘણા કાર્યકર્તા તથા નેતાઓ  આપ્યા છે : જયેશ ઉપાધ્યાય, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ

Vlcsnap 2021 01 26 11H54M49S460

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ના જયેશ ઉપાધ્યાય એ જનાવ્યું કે ચૂંટણી ની બીગુલ વાગી ગયું છે ત્યારે  નગર ની સેવા કરે , મુશ્કેલી માં નીડર અને લીડર બની લોકો ને ઉપયોગી બને.ત્યારે વોર્ડ નં ૧૪ કાંતિભાઈ વૈદ્ય ,રામણિક ભાઈ વૈદ્ય આવા નામાંકિત લોકો નો વોર્ડ છે. આ વોર્ડ માં સ્નાનગર .કમ્યુનિટી હોલ,સહિતની સુવિધાઓ આવેલી છે.અહી જિલ્લાગાર્ડન સહિતના ગાર્ડન આવેલા છે.વિકાસ ની વાત કરીએ તો વોર્ડ નં ૧૪ માં વિકાસ ના કાર્યો થયા છે.હજુ ખાસ તો અહીંયા ના કોર્પોરેટર નો જન સંપર્ક ખૂબ સારો છે.હું પોતે સંસ્થા ચલાવું છુ.ક્યારેય કોર્પોરેટર ને લાગતા કામ હોય તેનું ત્વરિત ધોરણે નિકાલ આવે છે.ખાસ તો ઘણી વાર એવું બને કે પ્રજા ને લગે કોર્પોરેટર કઇ કામ નથી કરતા.પરંતુ ક્યાંક અમુક સંજોગો ને કારણે તે કામ નથી થતુ હોતું.માટે કોઈ કામ ન થાય તેના માટે કોર્પોરેટર સંપુર્ણ જવાબદાર નથી.

પ્રજાના પ્રશ્ર્નોના નિવારણને બદલે પ્રશ્ર્નો ઉભા જ ન થવા દે તે સાચો નગરસેવક: માનોહર પંડ્યા કાનુડા મિત્ર મંડળ

Vlcsnap 2021 01 26 11H47M32S113

કાનુડા મિત્ર મંડળ ના મનોહર ભાઈ પંડ્યા એ અબતક સાથેની વાતચિત માં જણાવ્યું કે ખરા અર્થ માં નગરસેવક એટલે પ્રજા ના પ્રશ્નો નો અડધી રાત્રે પણ નિવારણ લાવે અને બને ત્યાં સુધી તો પ્રશ્ન જ ઉભો ન થવા દે.વોર્ડ નં ૧૪ ની વાત કરીએ તો અહીંયા ના કોર્પોરેટર ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે.ખરા અર્થ માં પ્રજા સાથે જોડાયેલા છે.જેનો દાખલો એ છે કે અમે ગુંડાવડી વિસ્તાર માં રહીએ છીએ ત્યારે શાક ભાજી, જ્વેલરી સહીતની અનેક બજારો અહીં આવેલી છે  છતાં પણ અહીં ખુબજ સ્વરછતા જડવાય છે.એક વખત તેમને જાણ થાય પછી બને તેટલું જડપથી નિરાકરણ લાવે છે.વોર્ડ નં ૧૪ માં આરોગ્ય કેન્દ્ર , બગબગીચા, કમ્યુનિટી હોલ સહિતની સવલતો ઉપલબ્ધ છે જેની જાળવણી પણ લોકો દ્વારા કરવામાં આવે છે.ઘણી વખત એવું પણ બને કે નગર સેવકો તેમની રીતે કાર્યો કરે છે પરંતુ અમુક સંજોગો ના કારણે કઈક અટકે છે ત્યારે કામ ન થાય તેમ કોર્પોરેટ જવાબદાર નથી હોતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.