Abtak Media Google News

રાજકોટના પ્રબુદ્ધ નાગરિકોના મતે પક્ષ કોઇપણ હોય લોકોની સવલતો પુરી થવી જોઇએ

રાજકોટની સ્માર્ટ પ્રજા ૨૧ ફેબ્રુઆરીએ સ્માર્ટ નગરસેવકો પર વિશ્ર્વાસ મુકશે: ૨૩મીએ પરિણામ

વોર્ડ નં. ૧૦ થી ૧૮માં લોકો સ્માર્ટ બન્યા અને નગરસેવકોને પણ સ્માર્ટનેસ તરફ આગળ વધવા ફરજ પાડી

રાજકોટ કોર્પોરેશન ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.૨૧ ફેબ્રુઆરીએ મતદાન બાદ ૨૩ ફેબ્રુઆરીએ ઉમેદવારોના ભાવિ નક્કી થઈ જશે ત્યારે છેલ્લા ૫ વર્ષમાં કોર્પોરેટરોએ વોર્ડમાં કરેલા કામો દ્વારા લોકો કેટલા સંતુષ્ટ છે? તે જાણવાનો પ્રયત્ન અબતક ચેનલ દ્વારા કરવામાં આવ્યો હતો.વોર્ડ ૧ થી ૧૮ ના એન.જી.ઓ, જ્ઞાતિ અગ્રણીઓ સહિત પ્રબુદ્ધ નાગરિકોએ અબતક ચેનલને વોર્ડની હાલની સ્થિતિ તેમજ આવનારા વર્ષોમાં રહેવાસીઓની મહત્વકાંક્ષાઓ વર્ણવી હતી. રાજકોટના રહેવાસીઓ સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ નગર સેવકો ઈચ્છે છે.

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. શહેર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેમજ અનેક વોર્ડના ઉમેદવારો પણ નક્કી થઈ ચૂક્યા છે. ટિકિટના અપેક્ષિત ઉમેદવારોથી લઈને કાર્યકરો અને સંગઠના હોદ્દેદારોએ નિરીક્ષકોને પોતાની રજુઆત કરી છે. આ વખતે ઉમેદવાર પસંદગી માટે ખાસ અપેક્ષાઓ તમામ પાર્ટીએ રાખી છે જેમાં ઉમેદવાર નું સામાજિક કામોનું બેકગ્રાઉન્ડ, સોસીયલ મીડિયામાં તેની પહોંચ, સ્થાનિક લેવલે લોકપ્રિયતા, પાર્ટી માટે કરેલા કામો અને લાયકાત ગણવામાં આવી રહી છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની સેન્સ ની પ્રક્રિયા પહેલા શહેર ભાજપના ૪ થી ૫ દિગજ્જ નેતાઓએ ચૂંટણી ન લડવાની વાત કરી છે જેમાં નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, કશ્યપ શુક્લ, અરવિંદભાઈ રૈયાણી સહિતના અગ્રણીઓએ ચૂંટણી ન લડવા માટે પોતાની વાત દર્શાવી ચુક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપને ૩૮ અને કોંગ્રેસને ૩૪ બેઠકો મળતા કોંગ્રેસ ઉમેદવારો અને કાર્યકરોનો ઉત્સાહ બમણો છે તો સાથેજ આ વર્ષે ત્રીજી પરિબળ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવી જીતાડવાનો પ્રયત્ન કરી રહી છે.ત્યારે આવનારા દિવસોમાં રાજકોટ મહાનગર પાલિકામાં કોણ બાજી મારશે? તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના ૧૮ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ૭૨ ઉમેદવારો માટે કુલ ૭૮૪ જેટલા અપેક્ષિત વ્યક્તિઓ સેન્સ પ્રક્રિયામા આવ્યા હતા. ભાજપ અગ્રણીઓ પુષ્પદાનભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ, જાગૃતિબેન પંડ્યા,મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઈ ત્રિવેદી ,આદ્યશક્તિબેન મજમુદાર ,બાબુભાઈ બોખીરિયા,ભરતસિંહ ગોહિલ, બીજલબેન પટેલ,નરહરિભાઈ અમીન, માધાભાઈ બોરીચા અને નિમુબેન બાંભણીયા દ્વારા સેન્સ લેવામાં આવી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના અગ્રણીઓ દ્વારા “ટીકીટ” માટે કોઈ પણ પ્રકારની ભલામણ ચલાવવામાં નહીં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ભાજપ દ્વારા પેઈજ સમિતિની રચના કરી પેઈજ પ્રમુખો પણ બનાવવામાં આવ્યા છે.જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પેઈજ પ્રમુખ બન્યા છે. પેઈજ સમિતિ દ્વારા ગ્રાઉન્ડ લેવલે ભાજપે માઇક્રો પલાનિંગ કર્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા નગરજનોને વિકાસરૂપી અંધારા માંથી બહાર આવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

વોર્ડ-૧૩ જનકલ્યાણ ના નાદ સાથે કામ કરે તે જ સાચો નગર સેવક: રજની ત્રિવેદી રાજકોટ કલા સંઘના પ્રમુખ

A Vlcsnap 2021 01 26 11H44M52S955

રાજકોટ કલાસંધ ના પ્રમુખ રાજની ભાઈ ત્રિવેદી એ જણાવ્યું કે નગરસેવક એવો હોવો જોઈએ જે જનકલ્યાણ ના કામો કરે . વોર્ડ નબર ૧૩ ના કોર્પોરેટરનો જનસંપર્ક ખૂબ જ સારો છે. આ વોર્ડ માં પ્રાથમિક સહુલતો માં શિક્ષણ માટે ખૂબ જ સારી સરકારી  સાળા છે જેમાં તમામ સુવિધઓ ઉપલબ્ધ છે. તે ઉપરાંત આ વોર્ડમા પી.ડી. માલવિયા કોલેજ કેમ્પસ પણ છે. આ સાથે જ કોર્પોરેશન સંચાલિત બગીચો પણ છે. ગાર્ડન માં પણ સારી સુવિધાઓ છે. છેલ્લા ૧૦ વરસ ની અંદર વોર્ડ માં ખુબ જ સારો વિકાસ થયો છે. રોડ રસ્તા ને વીજ સુવિધાઓ સારી છે . આવતા સમય માં એવો કોર્પોરેટર ઇચ્છીએ છે જે લોકો ની વચ્ચે રહીને કામ કરે . ખાસ કરીને કલાકાર મિત્રો ની સહાયતા માટે કલા સેન્ટર જો ખૂલે તો તેમને સારી સુવિધા મડી સકે . હાલ રાજકોટ શહેર ને જેમ સ્માર્ટ સિટી કરવામાં આવ્યું છે એ પ્રમાણે વોર્ડ માં કર્યો વધુ જડપી થવા જોઈએ.

અમારા કોર્પોરેટરનો જનસંપર્ક ખૂબ જ સારો છે, જેથી મોટા ભાગના પ્રશ્ર્નો ત્વરીત ઉકેલાય છે: ડોક્ટર જાગૃતિ પટ્ટાની

Avlcsnap 2021 01 26 11H43M30S466

વોર્ડ નં ૧૩ ના ડો.જાગૃતિ પતાણી એ જણાવ્યું જેમ આખા રાજકોટમાં થાય છે એ પ્રમાણે તમામ વિકાસ ના કામ આમારા વોર્ડ માં પણ થાય છે . જેવા કે રોડ રસ્તા , નળ ની લાઈન , ઈન્ફ્રાસ્ટ્ક્ચર એ ઉપરાંત સવથી બિરદાવવા લાયક કામગિરી મહાનગર પાલિકાના કર્મચારીઓ દ્વારા કોવિડ ચેકઅપ ની છે. આમ જ તમામ વિકાસ ના કાર્યો થાય છે . ઈન્ફ્રાસ્ટ્ર્ચર માં ખાસ કરીને સિવિક સેન્ટર થી લોકો ને એમના સારા માઠા પ્રસંગ ઉકેલવા મા સારી સગવડતા મળી રહે છે. રોડ પાણી રસ્તા એ લોકોની સવથી અગત્ય ની જરૂરિયાત છે. સફાઈ ના કર્યો પણ આ વોર્ડ માં સારી રીતે થાય છે. એ ઉપરાંત કોઈ જ અસગવડતા આ વોર્ડમા નથી. છેલ્લા એક દશકામાં માં થયેલા કામો થી સંપૂર્ણ પણે સંતુષ્ટિ છે. લાઈટ જાય તો પણ જલ્દી થી રિપેરિંગ કામ હાથ ધરવામા આવે છે. નગરસેવકોનો જનસંપર્ક ખૂબ જ સારો છે. કોર્પોરેટર દ્વારા પ્રશ્નો ના જવાબ હલ કરવામાં આવે છે. સિસ્ટમેટિક કર્યો કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.