રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુકિત કરવા માટે આજે સવારે જામનગરના જિલ્લા રજીસ્ટ્રાર મનોજ લોખંડેની અધ્યક્ષતામાં ચુંટણી યોજાઈ હતી. જેમાં અઢી વર્ષ માટે ફરી યાર્ડના ચેરમેનપદે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા અને વાઈસ ચેરમેનપદે હરદેવસિંહ જાડેજાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં માર્કેટીંગ યાર્ડને ફાળવવામાં આવનાર ૨૫ કરોડની ગ્રાન્ટમાંથી યાર્ડમાં ખેડુતોનો માલ બગડે નહીં અને પુરતી સુવિધા મળી રહે તે માટે પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ખેડુતોની સુવિધા વધારવા માટે અમે સતત કામ કરતા રહીશું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા