રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુકિત કરવા માટે આજે સવારે જામનગરના જિલ્લા રજીસ્ટ્રાર મનોજ લોખંડેની અધ્યક્ષતામાં ચુંટણી યોજાઈ હતી. જેમાં અઢી વર્ષ માટે ફરી યાર્ડના ચેરમેનપદે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા અને વાઈસ ચેરમેનપદે હરદેવસિંહ જાડેજાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં માર્કેટીંગ યાર્ડને ફાળવવામાં આવનાર ૨૫ કરોડની ગ્રાન્ટમાંથી યાર્ડમાં ખેડુતોનો માલ બગડે નહીં અને પુરતી સુવિધા મળી રહે તે માટે પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ખેડુતોની સુવિધા વધારવા માટે અમે સતત કામ કરતા રહીશું.
Trending
- હકીકતમાં સાપ પાસે ‘નાગમણી’ છે કે નહીં કેવી રીતે જાણવું?
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!
- સિંહ અને સિંહણ બંને માંથી કોણ વધુ ખતરનાક ?
- રાજકોટ કોર્પોરેશનમાં મેનેજરની 8 જગ્યાઓ માટે 2922 ઉમેદવારો મેદાનમાં!!
- વિદેશ મંત્રી એસ. જયશંકર પ્રબુધ્ધ નાગરિક સાથે કરશે સંવાદ
- સોનામાં તેજી હી તેજી : ભાવ 70 હજારને પાર