Abtak Media Google News

એસ.ટી.ના મુસાફરો માટે વધુ એક સુવિધા: ભાડુ અંદાજીત ૪૩૦

રાજયભરમાં એસ.ટી.ના મુસાફરો માટે દિન-પ્રતિદિન સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટથી અમદાવાદ સહિતના લાંબા ‚ટ ઉપર એસ.ટી.ની વોલ્વો દોડાવવામાં આવી રહી છે.ત્યારે એસ.ટી.નિગમે વોલ્વોની સુવિધામાં વધારો કરતા હવે રાજકોટ ડિવિઝન દ્વારા રાજકોટથી ગાંધીનગર વોલ્વો સેવાનો પ્રારંભ સોમવારે કરવામાં આવશે તેવું રાજકોટ એસ.ટી.ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા સોમવારથી નવી વોલ્વો બસ શ‚ થશે. જે રાજકોટથી ગાંધીનગર ૬:૩૦, ૧૨:૩૦ અને રાત્રે ૯:૦૦ વાગ્યાથી દૈનિક ઉપડશે. જયારે ગાંધીનગરથી રાજકોટ ૬:૩૦, ૧:૦૦ અને રાત્રે ૮:૩૦ કલાકે ઉપડશે. એસ.ટી.ના મુસાફરોને રાજકોટથી સીધુ ગાંધીનગર જવા માટે અને ગાંધીનગરથી રાજકોટ સુધી જવા માટે એસ.ટી.ની વોલ્વો સુવિધા મળશે.ગુજરાત રાજય માર્ગ વાહન-વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં દિવસે દિવસે વધારો કરવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત મુસાફરોની માંગણીને ધ્યાન રાખીને નવા ‚ટ પણ શ‚ કરવામાં આવી રહ્યા છે. જુની અને ખખડધજ બસોની જગ્યાએ હાલ અદ્યતન એકસપ્રેસ બસો દોડાવવામાં આવી રહી છે.આ ઉપરાંત અમદાવાદ, સુરત, બરોડા સહિતના ‚ટ ઉપર એસ.ટી.નિગમ દ્વારા વોલ્વો પણ દોડાવવામાં આવી રહી છે.ત્યારે રાજકોટથી ગાંધીનગર અને ગાંધીનગરથી રાજકોટ સુધી સોમવારથી નવી વોલવો શ‚ કરીને એસ.ટી.ના મુસાફરોને વધુ એક લાભ મળશે અને આ વોલ્વો બસનું ભાડુ અંદાજીત  સુધીનું રાખવામાં આવ્યું છે.આ ‚ટની વોલ્વોમાં મુસાફરો જી.એસ.આર.ટી.સી.ની વેબસાઈટ પરથી અથવા એસ.ટી.ની એપ્લિકેશન પરથી ઓનલાઈન ટીકીટ બુકિંગ પણ કરી શકશે અને બસમાં મુસાફરો તમામ પ્રકારની સવલતો મળી રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.