Abtak Media Google News

આશ્રમમાં રહેલી શાંતીનો માહોલ જોઈનેમંત્રીશ્રી ચુડાસમા ખુબ જ પ્રફુલ્લીત થયા

ગુજરાત રાજયના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે સવારે શ્રી રામકૃષ્ણ મિશન આશ્રમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. દર્શન કરીને મંત્રીશ્રી ભાવ વિભોર બન્યા હતા.

Min.shree Bhupendrashin At Ramkrishana Ashram 17 3 18 3વર્ષ ૧૯૨૭માં સ્થપાયેલુ શ્રી રામકૃષ્ણ મિશન આશ્રમ લાલ પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે. આ આશ્રમમાં રહેલી શાંતીનો માહોલ જોઈને શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખુબ જ પ્રફુલ્લીત થયા હતા.

Min.shree Bhupendrashin At Ramkrishana Ashram 17 3 18 7શુભેચ્છા મુલાકાત વેળાએ મંત્રીશ્રીએ આશ્રમના પ્રાંગણમાં આવેલ પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. જેમાં ૧૯ ભાષાના અંદાજિત ૪૫,૦૦૦ થી વધુ પુસ્તકો અહીં ઉપલબ્ધ છે. મંત્રીશ્રીએ અહીં ૫ર ઉઠો-જાગો”, “રાષ્ટ્રને સંબોધન”,“યશસ્વી વિદ્યાર્થી જીવન”, જેવા વિવિધ પુસ્તકોનું સિંહાવલોકન કર્યું હતું.

Min.shree Bhupendrashin At Ramkrishana Ashram 17 3 18 9આ પ્રસંગે આશ્રમના અધ્યક્ષશ્રી સ્વામી નિખીલેશ્ર્વરાનંદજી, પૂર્વઅધ્યક્ષશ્રી સ્વામી સર્વસ્થાનંદજી, તથા સ્વામીશ્રીઓ જ્ઞાનીશાહનંદજી અને સ્વામી પ્રભુસેવાનંદજી ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.