Abtak Media Google News

ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સમગ્ર ગુજરાતના બધા જીલ્લાના ગામડાની અંદર જળસિંચાઈના કામની અંદર દરેક ગામના તળાવ ઉંડા ઉતારવાનું જે કામ હતું તેમાં વરુણદેવની મહેરબાનીથી ભરપુર જળનો થોત આવેલ એનો જળ જળપૂજન કરવાના કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા તેમજ સમગ્ર જળપૂજન કાર્યક્રમના ઇન્ચાર્જ વિજયભાઈ કોરાટ તથા સહ-ઇન્ચાર્જ બીપીનભાઈ રેલીયાના માર્ગદર્શન હેઠળ  રાજકોટ જીલ્લાના રાજકોટ તાલુકાના ઢાંઢણી, ઢાંઢિયા, લીલી સાજડીયાળી, અણીયારા, સરધાર મુકામે રાજકોટ જીલ્લા લીગલ સેલના ક્ન્વીનર ભાસ્કરભાઈ જસાણી, રાજકોટ જીલ્લા ભાજપના કારોબારી સભ્ય દશરસિંહ જાડેજા, રાજકોટ તાલુકા ભાજપના ઉપપ્રમુખ ધીરેનભાઈ સંખાવરાની આગેવાની હેઠળ શાોક્ત વિધિથી જળ પૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

જેમાં લોધિકા તાલુકાના કાંગશીયાળી, ગામના જળપૂજનના કાર્યક્રમમાં આગેવાન કાર્યકર્તા નરેન્દ્રસિંહ જાડેજા, તેમજ અન્ય ગ્રામ્ય આગેવાનો તા કોટડાસાંગાણી તાલુકાનું શાપર(વેરાવળ),  ગોંડલ તાલુકાનું ગોમટાના જળપૂજનના કાર્યક્રમમાં પ્રફુલભાઈ ટોળિયા, ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, ગોંડલ તા.પં.ના સભ્ય નિખીલભાઈ કારોટીયા, ગોંડલ ભાજપ અગ્રણીઓ, યોગેશભાઈ કયાડા, ગોમટાના સરપંચ, જેતપુર તાલુકાનું વિરપુરના જળપૂજનના કાર્યક્રમમાં જેતપુર તાલુકા ભાજપ મહામંત્રી વેલજીભાઈ સરવૈયા, દીપકભાઈ ગાજીપરા, દિનેશભાઈ વઘાસીયા, જીલ્લા કારોબારી સભ્ય રમેશભાઈ કોઠારી તેમજ સમગ્ર કાર્યક્રમમાં બુ આગેવાનો ઉપસ્તિ રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.