Abtak Media Google News

સારવાર માટે આવેલા વૃદ્ધનું અંતરિયાળ મોતથી પરીવારમાં શોક

કેશોદના પાણખા ગામે રહેતા વૃદ્ધ રાજકોટ જંકશન ખાતે ચાલુ ટ્રેને ચડવા જતા ટ્રેનની ઠોકરે આવતા ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. વૃદ્ધના આકસ્મિક મોતના પગલે પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદ તાલુકાના પાણખા ગામે રહેતા લાખાભાઈ વેજાનંદ સોંદરવા નામના ૭૫ વર્ષીય વૃદ્ધનું રાજકોટ રેલવે જંકશન પ્લેટફોર્મ નં.૩ પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા ટ્રેનની ઠોકરે કમકમાટીભર્યું મોત નિપજયું હતું.

મૃતક લાખાભાઈ રાજકોટ રણછોડદાસબાપુ આશ્રમ ખાતે સારવાર અર્થે આવેલા હોય ત્યારે બપોરે ઈન્ટરસીટીમાં ઘરે જવા નિકળ્યા ત્યારે ચાલુ ટ્રેન પર ચડવા જતા ટ્રેનની ઠોકરે આવતા વૃદ્ધનું મોત નિપજયું હતું. પોલીસે ઘટનાની નોંધ લઈ ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.