Abtak Media Google News

અંજલીબેન રૂપાણી સાંજે પ્લેનમાં ડેડ બોડી લઈ રાજકોટ આવશે: શહેર ભાજપમાં શોકનો માહોલ

રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના ૪૫ મહિલા કાર્યકર્તાઓને સાંસદ મોહનભાઈ કુંડારીયા દિલ્હીની મુલાકાતે લઈ ગયા છે જેમાં આજે સવારે કરૂણાંતિકા સર્જાય હતી. વોર્ડ નં.૧૪ના મહિલા કાર્યકર રંજનબેન ડાભીને આજે સવારે હૃદયરોગનો તિવ્ર એટેક આવતા તેઓનું કરૂણ મૃત્યુ નિપજતા શહેર ભાજપમાં શોકની ગાલીમા છવાઈ ગઈ છે. દરમિયાન મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી આ મૃતક મહિલા કાર્યકર્તાની ડેડબોડી લઈ સાંજની ફલાઈટમાં દિલ્હીથી રાજકોટ આવશે.

આ અંગે જાણવા મળતી વધુ વિગત મુજબ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ મહિલા મોરચાના ૪૫ જેટલા બહેનોને દિલ્હીની શુભેચ્છા મુલાકાતે લઈ ગયા છે. દરમિયાન આજે સવારે વોર્ડ નં.૧૪ના ભાજપના રંજનબેન ડાભી (ઉ.વ.૫૭)ને હૃદયરોગનો તીવ્ર હુમલો આવતા તેઓનું કરૂણ મૃત્યુ નિપજયું હતું. આ સમાચાર મળતાની સાથે જ શહેર ભાજપમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. આજે સાંજે ૬:૪૫ કલાકે દિલ્હીથી રાજકોટ આવતી ફલાઈટમાં ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી રંજનબેન ડાભીનો મૃતદેહ લઈ રાજકોટ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.