Abtak Media Google News

ડો. ઉપેન્દ્ર કુલકર્ણી અને મૌલેશભાઇ ઉકાણી વિશેષ ઉપસ્થીત રહેશે

આગામી પ્રજાસત્તાક પર્વ ૨૬ જાન્યુઆરીને રવિવારે સવારે ૧૦ કલાકે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની રાજકોટ અને બહારગામની તમામ શાખાઓમાં ધ્વજવંદન-ભારત માતા પૂજન યોજાશે. રાજકોટમાં હેડ ઓફિસ, ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે ડો. ઉપેન્દ્ર કુલકર્ણી (સેવા પ્રમુખ-પશ્ર્ચિમ ક્ષેત્ર-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) અને મૌલેશભાઇ ઉકાણી અગ્રણી ઉદ્યોગપતિ) વિશેષ ઉપસ્થીત રહી પ્રાસંગીક ઉદ્બોધન કરશે. ઉપરોક્ત કાર્યક્રમમાં સર્વે બોર્ડ ઓફ ડિરેકટર્સ, શાખા વિકાસ સમિતિના સભ્યો, ડેલીગેટ અને કર્મચારી-કાર્યકર્તાઓને રાજકોટ ખાતે અવા બહારગામમાં બેંકની નજીકની શાખામાં ઉપસ્તિ રહેવા બેંકના ચેરમેન નલિનભાઇ વસાએ હાર્દિક અનુરોધ કરેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.