Abtak Media Google News

શહેરની મારવાડી યુનિવર્સિટીમાં BCA સેમેસ્ટર 4માં અભ્યાસ કરતા વિધાર્થીએ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. નીલ ઠક્કર નામના આ વિદ્યાર્થીને કોઈ કારણોસર એક વર્ષ માટે ડિટેઈન કરાયો હતો. જેને પગલે હોસ્ટેલના રેક્ટર અમૂલ્ય સાહું દ્વારા તેને રૂમ ખાલી કરવા જણાવાયું હતું. પરંતુ આ બાબતે લાગી આવતા તેણે હોસ્ટેલના 11માં માળેથી ઝંપલાવ્યું હતું.

નાલએ આપધાત કર્યો હોવાનો વિદ્યાર્થી પિતાને જાણ થતાં હાલમાં વિદ્યાર્થીનો પરીવાર રાજકોટ આવવા રવાના થયો છે. વિદ્યાર્થીને 1 વર્ષ માટે ડિટેઇન કરતા હોસ્ટેલના રેક્ટરે રૂમ ખાલી કરવાનું કહેતા આપઘાત કર્યોનુ હાલ જાણવા મળ્યું છે.

જાણકારી મુજબ તેને ૧૧ બેકલોગ હોવાથી તેને ડિટેઈન કરાયો હતો. અને તેને ડીટેઈન થયેલા વિધાર્થીને રેકટર દ્વારા રૂમ ખાલી કરવાનું જણાવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.