Abtak Media Google News

પેટકોકના પરિવહન માટે માલ ડબ્બાની વહન ક્ષમતા ર થી પ ટન ઘટાડાઇ: હોલેજ ચાર્જીસમાં પ ટકાનો ઘટાડો

માલ પરિવહનને પ્રોત્સાહન આપવા ભારતીય રેલ્વેએ નવી પહેલ કરી છે. પેટકોકના પરિવહન માટે દરેક પ્રકારના માલ ડબ્બામાં વહન ક્ષમતા ૨થી ૫ ટન ઘટાડવા, હોલેજ ચાર્મુસમાં ૫%નો ઘટાડો સહિતના નિર્ણયો લેવાયા છે.

રાજકોટ મંડળ ના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી રવિન્દ્ર શ્રીવાસ્તવ એ જણાવ્યું કે કોરોના સંકટ ના સમયે એક બાજુ જ્યાં  નિયમિત યાત્રી ટ્રેનો નું સંચાલન બંધ છે ત્યાં દેશ માં આવશ્યક વસ્તુઓ જેવી દૂધ અને દૂધ ની વસ્તુઓ, મેડીકલ ઉપકરણ અને દવાઓ, માસ્ક તથા સેનેટાઇજર તથા કૃષિ ઉત્પાદનો અને ખાધ સામગ્રી ના પરિવહન માં ભારતીય રેલવે એ મુખ્ય ભૂમિકા નિભાવી છે.જ્યાં આ દરમિયાન મોટી માત્રામાં રિફંડ ચૂકવવામાં આવ્યું છે જેના કારણે રેલવે રાજસ્વ પણ બહુ જ ઓછું રહ્યું છે.તેમના અનુસાર ફ્રેટ કસ્ટમર્સ સાથે સારા સમન્વય માટે મંડળ સ્તર પર બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ ની પણ સપના કરવામાં આવી છે જે સતત  એમના સંપર્ક માં રહેશે તથા નવી કોમોડિટી ના પરિવહન ના માધ્યમથી રેલ રાજસ્વ માં વધારો કરશે.

Rail

પેટકોક ના પરિવહન માટે દરેક પ્રકાર ના માલ ડબ્બા માં વહન ક્ષમતા ને ૨ થી ૫ ટન (માલ ડબ્બા ની શ્રેણી અનુસાર) સુધી ઓછુ કરવા માં આવ્યું. ઔધોગિક ઉપયોગ માટે પરિવહન કરવામાં આવનાર મીઠાના ચાર્જેબલ કલાસમાં પરિવર્તન કરીને તેને સરળ બનાવવામાં આવ્યું છે. આને લાસ ૧૨૦ થી ઓછું કરીને ૧૦૦ એ કરવામાં આવ્યું છે જે મિતવ્યયથી હોવાની સાથે ખુલ્લા વેગનો માં લોડિંગ ની અનુમતિ પણ આપવામાં આવી છે. ૩૦ એપ્રિલ ૨૦૨૧ સુધી લોડિંગ કરવામા આવેલ ક્ધટેનર રેકો ના હોલેજ ચાર્જીસ  ૫% સુધી ઓછાં કરવામાં આવ્યા છે.ખાલી અન્ડરફ્રેમ ક્ધટેનર રેકો ના પરિવહન માં પહેલા થી જ ૨૫% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ફ્લેટ અને ખુલ્લા વેગનો તથા એલ.આર-૧ ના અંતર્ગત ઓપન અને બંધ વેગનો માં લોડિંગ કરવામા આવનાર કલાઈ એશ ના લોડિંગ માં ૪૦% ની છૂટ આપવામાં આવી છે. ૧૮ મે ૨૦૨૦ી ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ સુધી ક્ધટેનર ટ્રાફિકમા ટેસ્ટે બલિંગ ચાર્જીસ વસુલવામાં ની આવી રહ્યો તથા આમાં પૂર્ણ છૂટ આપવામાં આવી હોવાનું યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.