Abtak Media Google News

રાહુલ ગાંધીના મોરબી શહેરના કાર્યક્રમમાં ફેરફાર:જામનગરથી સીધા ટંકારા આવશે

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત દરમિયાન આગામી તા.૨૬ને મંગળવારે ટંકારામાં વિશાળ જાહેરસભા યોજવામાં આવનાર હોવાની વિગતો સાંપડી રહી છે.

આગામી વિધાનસભા ચૂંટણીને પહલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં ભરચકક કાર્યક્રમો પૂર્વે તેઓ જામનગર જશે અને જામનગરથી પરત ફરી વાય ધ્રોલ,જોડિયા,લતીપર માર્ગ થઈ સીધા દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા પહોંચશે.

વધુમાં શ્રી રાહુલ ગાંધીની મુલાકાત અંગે કોંગ્રેસ પ્રદેશ અગ્રણી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે જામનગરથી પરત ફરી રાહુલ ગાંધી ટંકારા આવશે અને બપોરે ૧ વાગ્યા આસપાસ ટંકારાના ઉમા કોટન જીન નજીકના ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભાને સંબોધી તેઓ રાજકોટ પ્રયાણ કરશે. ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મોરબીની મુલાકાત લેનાર હતા પરંતુ કાર્યક્રમમાં ફેરફાર થતા હોવી તેઓ ટંકારાની મુલાકાત લઈ સીધાં જ રાજકોટ જવા નીકળી જશે.

આગામી ૨૬ મીએ રાહુલ ગાંધીની ટંકારાની મુલાકાતને લઈ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કાર્યક્રમને સફળ બનાવવા કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.