Abtak Media Google News

મંદિર નિર્માણનાં ભગીરથ કાર્ય માટે જહેમત ઉઠાવી રહ્યા છે પોરબંદરનાં વતની ભરતભાઈ રૂપારેલ

રઘુવંશી સમાજ માટે આનંદના સમાચાર છે દુબઈમાં પૂજય જલારામ બાપાનું મંદિર નિર્માણ પામશે આ મંદિરના ભગીરથ કાર્ય માટે મૂળઈ પોરબંદરનાં વતની અને હાલ દુબઈ એવા ભરતભાઈ રૂપારેલ ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે.

સમગ્ર રઘુવંશી સમાજ તેમજ દેશ-વિદેશમાં વસતા જલારામ બાપાના ભક્તો માટે એક ગૌરવ લઈ શકાય તેવા સમાચાર છે કે દુબઈમાં પૂજ્ય  જલારામ બાપાનું મંદિર બનાવવાનો સંકલ્પ કરવામાં આવેલ છે અને આ માટેની જરૂરી પરવાનગી દુબઈ સરકાર તરફથી મળી પણ ગઈ છે. આ મંદિર બનતા દુબઇમાં વસતા આપણાં ભારતીયો તથા અહીથી દુબઇ જતાં જલારામ બાપાના ભક્તોને ટૂંક સમયમાં જ જલારામ બાપાના દર્શન દુબઇમાં કરવાનો લાભ મળશે. આ મંદિર નિર્માણના ભગીરથ કાર્યમાં  ભરતભાઇ રૂપારેલ કે જેઓ મૂળ પોરબંદરના વતની છે અને દુબઇમાં તેમજ કેનેડાના વાનકુવરમાં ગોલ્ડના શો રૂમ ધરાવે છે તેઓ આ કાર્ય માટે ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે.

છેલ્લા ૨૦ વર્ષથી તેઓ દુબઇમાં તેમના ઘરે જલારામ જયંતિની ઉજવે છે. આ મંદિર બનવાના સમાચાર ભરતભાઇએ ૧૯૭૭ થી એમના ખાસ મિત્ર એવા રાજકોટના હરીશભાઈ લાખાણીને આપેલા છે. આ મંદિર બનાવવા માટે એક ટ્રસ્ટ પણ બનાવવામાં આવેલ છે જેમાં શ્રી હરીશભાઇ પવાણી કે જેઓ કચ્છી લોહાણા છે જેઓ ઓમાનથી દુબઈમાં આવીને વસેલા છે અને દુબઈમાં પરસોતમ કાનજીના નામે પ્રખ્યાત છે. તેઓ ગોલ્ડ, કરેંસી તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો વ્યવશાય ધરાવે છે. આ ટ્રસ્ટના દરેક વ્યક્તિ ખૂબ જ સ્ટ્રોંગ છે દુબઇમાં અને કોઈપણ જાતના ફાળા વગર આ મંદિરનું નિર્માણ કરવાનો સંકલ્પ લીધેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.