Abtak Media Google News

લોહાણા મહાપરિષદ મેડીકલ સમીતીની યાદીમાં જણાવ્યા મુજબ લોહાણા સમાજના દર્દીઓને તબીબી સારવારમાં માર્ગદર્શન તથા મદદરુપથવા માટે લોહાણા રધુવંશી ડોકટરોનું સંમેલન આગામી તા. ૩૦-૧ર ને રવિવારે સવારે ૯ થી ૫.૩૦ સુધી સોલા ભાગવત વિઘાપીઠઅમદાવાદ ખાતે યોજાશે. આ સંમેલનમા સમગ્ર ભારતમાંથી નામાંકિત અને સેભાભાવી રધુવંશી ડોકટરો, સ્પેશ્યાલીસ્ટ સુપર સ્પેશ્યાલિસ્ટ તથાઅન્ય ભારતીય ચિકિત્સા પઘ્ધતિના નિષ્ણાતોને ભાગ લેવા જાહેર અનુરોધ કરાયો છે.આ કાર્યક્રમનો ઉદ્દેશ સ્વસ્થ અને નિરોગી લોહાણા સમાજના નિર્માણ માં સહયોગકરવાનો છે. આ સંમેલનમાં સમાજના દદીઓને રધુવંશી ડોકટરો કઇ રીતેમાર્ગદર્શન કરી શકે તેમ જ આર્થિક રીતે નબળા દર્દીને કેમ મદદરુપ થઇ શકાય તેના ઉ૫ર ચર્ચા વિચારણા થશે.

આ સંમેલનને સફળ બનાવવા માટેલો.મ.પ. મેડીકલ સમીતી તથા વિભાગીય પ્રતિનિધિઓ નો અથાગ પરિશ્રમ તથા સિંહ ફાળો છે. વધુ માહીતી માટે ડો. હિમાંશુ ઠકકર મો. નં.૯૪૨૮૦ ૦૩૮૪૮ અને ડો. જનક ઠકકર મો. નં. ૯૦૯૯૬ ૬૬૨૨૨ નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.