Abtak Media Google News

બૃહદ્ રાજકોટના આંગણે ઈન્દ્રપ્રસ્થનગર અને વૈશાલીનગર સંઘના પ્રાંગણે દીક્ષા પ્રદાતા પૂ.શ્રી ધીરગુરુદેવની નમનીય નિશ્રામાં આદિનાથ નગરીમાં દીક્ષાર્થી મોનાલીબેને કુમકુમ પગલા પાડતા પ્રવેશ કર્યા બાદ પૂ.સુશાંતમુનિ મ.સા., પૂ.નમ્રમુનિ મ.સા. તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહાસતીજી વૃંદની નિશ્રામાં સંજય શાહે વિદાયમાન કાર્યક્રમની શાનદાર રજૂઆત કરેલ. પરિવારજનોએ માળારોપણ વિધિ કરેલ.

Img 4433

પરમ કલ્યાણના બોલ વ્યાખ્યાન સંગ્રહની અર્પણવિધિ દક્ષાબેન મુકેશભાઈ કામદાર અને રમેશભાઈ શાહ (ઓમાનવાલા) તથા જીવદયાનો ચડાવો લૈલારાનીએ લીધેલ. બપોરે સાંજીમાં હજારો કેશલુંચન કરનારાનું અને વર ડુંગર મહિલા મંડળના પ્રમુખ યોજ્ઞા મહેતાનું સન્માન કરેલ.

Img 4466

કાલે સવારે ૭ થી ૮ શિરામણી રમીલાબેન બેનાણી પરિવાર, રાજપથ, પંચવટી મેઈન રોડથી ૮:૧૫ કલાકે દીક્ષા શોભાયાત્રા, નૂતનનગર થઈને ડુંગર દરબાર પ્રમુખ સ્વામી સભાગૃહ ખાતે દીક્ષા મહોત્સવમાં ફેરવાશે.

Img 4492

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.