Abtak Media Google News

સ્થાનકવાસી જૈન સંઘ ઉપલેટા ખાતે ૧૯૮૨ માં પૂજયપાદ પ્રેમમુનિ મ.સા. અને પૂ. ધીરજમુનિ  મ.સા. (પિતા-પુત્ર) એ દીક્ષા અંગીકાર કરેલ.આજે પૂ. ધીરગુરુદેવ ત્રણેક વર્ષે પધારતા નગરશેઠ અમિતભાઇ શેઠ પ્રમુખ પંકજભા શેઠ, વિજયભાઇ શેઠ વગેરે ભાવિકો જુના જકાન નાકાથી સ્વાગતમાં જોડાયા હતા.

ઉપાશ્રયે પધાયા બાદ નવકારશી રાખેલ. પ્રવચન મઘ્યે પૂ. ગુરુદેવ જીવનને સફળ બનાવવા સ્વીકાર ગોઠવણ અને છોડવાના સૂત્રને આત્મસાત કરવા જણાવેલ ધોરાજી સંઘ પ્રમુખ શરદભાઇ દામાણી વગેરે એ હાજરી આપેલ બપોરે ગુરુભકતો તરફથી સંઘ જમણ યોજાયેલ. પ્રભાવનાનો લાભ શોભાબેન વાધરે લીધેલ. પૂ. અત્રેથી વિહાર કરી રાજકોટ તરફ પધારશે જયાં તા.૩ને રવિવારે ઉત્તમ સૂર્ય વિજય ઉપાસના ભવનના ઉદધાટન પ્રસંગે નિશ્રાપ્રદાન કરશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.