Abtak Media Google News

જૈનાચાર્ય પૂ. જશાજી સ્વામીની સ્વર્ગારોહણ શતાબ્દી ઉપલક્ષે પૂ. ધીરગૂરૂદેવની પ્રેરણાથી સમૂહ વરસીતપ આરાધનામાં રાજકોટમાં ૨૦૦ જેટલા તપસ્વીઓ જોડાયા છે. જેઓનાં પ્રતિમહિને સંઘ દાતાઓનાં સૌજન્યથી સમૂહ અતરવારણા યોજાઈ રહ્યા છે. જેમાં સ્થાનકવાસી જૈન મોટા સંઘ ભકિતનગર સંઘ હ.ડો. ચંદ્રા અને ડો. મહેન્દ્ર વારીખા, ડો. ભરતભાઈ મહેતા પરિવાર પ્રેરિત વૈશાલીનગર સંઘ દ્વારા સંપન્ન થયા બાદ પંચમ મણકામાં જંકશન પ્લોટ સંઘ પ્રેરિત અ‚ણાબેન વિનોદરાય ઉદાણી હ. પુષ્પાબેન વાડીલાલ બાવીસી તરફથી તા.૧૮-૩ને રવિવારે સવરે ૧૦ થી ૧૧ કલાકે તપસ્વીઓનાં જાપ પ્રયાગ સી, ફલેટ નં. સી/૨, બીજા માળે રાખેલ છે. જાપ બાદ ૧૧.૩૦ કલાકે અતરવારણા સોસાયટીના હોલમાં યોજાશે દરેક તપસ્વીઓએ પોતાનો ઓળખપત્ર સાથે રાખવનો રહેશે. વધુ વિગત માટે ક્ધવીનર જયશ્રીબેન શાહ મો. ૯૯૭૯૨૩૨૩૫૭ નો સંપર્ક કરવા વરસીતપ સમિતિની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.