Abtak Media Google News

વડોદરામાં આપઘાત કરનાર PSI જાડેજાના મિત્ર પીએસઆઈ અનિલ પરમાર પોતે દલિત હોવાથી રાષ્ટ્રીયતા સાબિત કરવી પડે છે તેવું લેખિતમાં જણાવીને ગુમ થઈ ગયા છે. ઇન્ટેલિજન્ટ બ્યુરોની ઓફિસમાં ફરજ બજાવતા અને રાંદેસણની શુકન હાઇટ્સ સોસાયટીમાં રહેતા પીએસઆઈ અનિલ જોધભાઈ પરમાર મંગળવારે સવારે 10.30 વાગ્યે નોકરી પર જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા.

Sucide Note 1શોધખોળ છતા પત્તો ન લાગતા તથા ફોન પણ બંધ આવતા અનિલના મોટા ભાઈ રાજેશભાઈ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં અનિલના ગુમ થયાની જાણવાજોગ નોંધાવી છે. જ્યારે પરિવારજનોને બે પાનાંની અનિલની સહી સાથેની ચિઠ્ઠી મળી આવી છે. આ ચિઠ્ઠીમાં આઈબીના ઉચ્ચ અધિકારીઓ અને કેટલાક કર્મચારીઓ સામે સ્ફોટક આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઘટના પછી તપાસ અધિકારી એસ. બી. પઢેરિયાએ ફોન બંધ કરી દીધો હતો. જ્યારે ગાંધીનગર ઇન્ચાર્જ એસપી બલોલિયાએ જણાવ્યું હતું કે, તેઓ કાલે કાગળો જોઈને આ વિશે કહેશે.

Sucide2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.