Abtak Media Google News

ધર્મરક્ષક પરિષદ દ્વારા ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન

ધર્મ રક્ષક પરિષદ દ્વારા ભકિતનગર ખાતે પ્રિન્સ ઓફ કૈલાશ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૩થી તા.૨૩ સુધી આ મહોત્સવ હેઠળ વિવિધ આયોજનો હાથ ધરાશે તેવું આજે અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ કહ્યું હતુ.

પ્રિન્સ ઓફ કૈલાશની રોજેરોજ સાંજે ૭.૩૦ કલાકે મહાઆરતી યોજાશે દર વર્ષની જેમ તમામ દર્શનાથીઓને આરતી ઉતારવાનો લ્હાવો લઈ શકે તેમજ મહોત્સવ દરમ્યાન અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સેવાકીય કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો તેમજ ખાસ દેવની ભકિત ધર્મની ભકિતની સાથે દેશભકિતના કાર્યક્રમો પણ યોજાશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ગૌતમ ગૌસ્વામી, વિજયગીરી ગોસ્વામી, રમેશભાઈ ગઢીયા, રાજુભાઈ ભાલોડી, લલીત પાલા, વિપુલ ગોસ્વામી, નીરવ ચૌહાણ, રક્ષીતભાઈ મકવાણા, ભાવેશભાઈ ગઢીયા, અજયભારથી, પ્રફુલ પર્વત, હાર્દિક ટાંક, જયપાલ ચાવડા ધર્મેન્દ્રસિંહ જનકપુરી, પ્રશાંત પાદરીયા, સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.