વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર નરેન્દ્ર મોદી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શને તા. ૮મી ને બુધવારે આવી રહ્યા છે. સોમનાથ મંદિરે તેઓ દર્શન-પૂજન બાદ સોમનાથ ટ્રસ્ટની મીટિંગમાં પણ હાજરી આપશે. ટ્રસ્ટના તેઓ સભ્ય પણ છે. ટ્રસ્ટના વડા કેશુભાઇ પટેલ ઉપરાંત અન્ય સભ્યો લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ વગેરે પણ મીટિંગમાં ભાગ લેવા સોમનાથ આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સોમનાથની મુલાકાતના સંદર્ભે વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જો કે બુધવારે રાજ્યમાં વડાપ્રધાનનાં અન્ય રોકાણો પણ હોવાને કારણે તેઓ થોડો સમય જ સોમનાથમાં રોકાણ કરશે એવું સૂત્રો દ્વારા જાણવા મળે છે. વડાપ્રધાનનો સત્તાવાર કાર્યક્રમ વિધિવત ઘડાઇ રહ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ તે સંદર્ભે આયોજન કરાઇ રહ્યું છે. સોમનાથ મંદિરનો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ આગામી સમયમાં ૨૬૨ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવનાર છે. સોમનાથ સાનિધ્યમાં રૂ. ૩૦૦ કરોડના ખર્ચે દરિયાઈ જીવસૃષ્ટિ એકવેરીયમ, ૧૦૦ કરોડના ખર્ચે પ્રસાદ ઘર બનનાર છે.
Trending
- હવે તમે પણ તમારા ઘરે બેસીને મિનિટોમાં ડાઉનલોડ કરી શકશો વોટર આઈડી કાર્ડ.
- ઉનાળામાં આ હિલ સ્ટેશનો ફરવા માટે છે બેસ્ટ
- હાલારના ઇતિહાસમાં રેલીમાં સર્વપ્રથમ વખત જંગી મેદની ઉમટી પડી
- જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં વિરાટ સંકલ્પ રેલી યોજાઇ
- Gujarat NMMS Answer Key 2024: ગુજરાત NMMS પરીક્ષાની આન્સર કી બહાર પડી
- વજન ઘટાડવું હોય તો પીવો રાગીનો સૂપ,સ્વાદિષ્ટ સાથે જ હેલ્ધી પણ
- કોફી લીવરમાંથી ચરબી દૂર કરશે! નિષ્ણાતો પાસેથી જાણીએ કે દરરોજ કેટલા કપ પીવા જોઈએ
- IPL 2024 : RCBની ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી મેચમાં કઈ પરંપરાને આગળ વધારશે ???