Abtak Media Google News

વડાપ્રધાન મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. હિંમતનગર, સુરેન્દ્ર નગર અને આણંદ ખાતે તેઓ આજે ચૂંટણી સભા સંબોધશે. આજે રાત્રી રોકાણ કર્યા બાદ તેઓ ગુરુવારે સવારે અમરેલીમાં સભાને સંબોધશે. ભાજપના મિશન 26 માટે વડાપ્રધાન મોદી રાજ્યની તમામ બેઠકોને અસર કરે તેવી રીતે સ્થળ પસંદ કરી રહ્યાં છે.

અગાઉ તેમણે જૂનાગઢ અને સોનગઢમાં સભા સંબોધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો સર કરવા આહવાન કર્યુ હતું તો આજે તેઓ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પ્રચાર કરશે. વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રથી વિમાન માર્ગે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે હિંમતનગર પહોંચ્યા હતા. અહીં લોકોએ ફિર એક બાર મોદી સરકારના નારા લગાડ્યા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.