Abtak Media Google News

હારશે કોરોના, જીતશે રાજકોટ

કોરોનાના ડરને મનમાંથી દુર કરીએ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી. પી. વૈષ્ણવ કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ રાજકોટના લોકોને ભય મૂક્ત બની કોવીડ-૧૯ મહામારીનો સામનો કરવાનો પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, કોરોનાના કાળની સામે આપણે છેલ્લા ૬ મહિનાથી લડી રહયાં છીએ. આ સમય દરમિયાન ગુજરાત સરકારે લોકોને કોરોનાી મૂક્ત બનાવવા માટે જરૂરીયાત કરતાં ૧૦ ગણી સુવિધા પૂરી પાડી છે. રાજકોટની કોવીડ-૧૯ હોસ્પિટલને ફાઈવસ્ટાર કેટેગરીની બનાવવામાં આવી છે. લોકોને આરોગ્યની સારામાં સારી સુવિધા મળે તે પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું છે. આ સમયમાં આપણે કોરોના ડરવાની જરૂર નથી. પરંતુ સાથે મળીને તેને હરાવવાનો છે. આવનારા દિવસોમાં કોરોના હારશે જ તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી. સરકાર દ્વારા લોકોને કોરોનાના સંક્રમણી બચાવવા માટે અભિયાન રૂપી કાર્ય કરવામાં આવી રહયું છે, ત્યારે આ અભિયાનમાં આપણે સૌ સાથે મળીને સહકાર આપીએ. ડરવાના બદલે કોરોના સંક્રમણને આપણે સમજીશું અને તેને અનુરૂપ સાવચેતીના પગલાં ભરશું તો આપણે અવશ્ય ઝડપી કોરોના મૂક્ત બની શકીશું. છેલ્લા ૬ મહિનાી આપણે કોરોના મહામારીનો સામનો કરી રહયાં છીએ અને હવે ઉત્તરોત્તર મૃત્યુદર પણ ઘટતો જાય છે. અને તેથી જ આપણે જો કોરોનાને હરાવવો હશે તો થોડી વધારે કાળજી રાખવી પડશે. આપણે સૌ સાથે મળી આપણા મનમાં રહેલા કોરોનાના ડરને બહાર કાઢી નાખીને કોરોનાનો સામનો કરીએ તો બહું જ જલ્દી  હારશે કોરોના, જીતશે રાજકોટ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.