Abtak Media Google News

ગુજરાતમાં ઘણા લાંબા સમયથી કોઈ ને કોઈ કારણસર સરકારી ભરતી પ્રક્રિયા પુરી થઈ નથી. બિનસચિવાલય,ટેટ-ટાટ,વનવિભાગ,તલાટી,લોકરક્ષકદળ જેવી ઘણી બધી ભરતીઓ તો બહાર નથી પડી અવા બહાર પડ્યા પછી રદ કરવામાં આવી છે આ સિવાય રદ કરવામાં આવેલી પરીક્ષા ફરીથી બહાર પાડવામાં ખૂબ લાંબો સમય લાગે છે આથી ઘણા ઉમેદવાર છાત્રો વયમર્યાદા વટાવી જાય છે.આથી સરકાર જલ્દીથી ભરતી પરીક્ષાઓ ની તારીખ જાહેર કરે અને ભરતીમાં ઉંમર મર્યાદા વધારવામાં આવે એવી માંગ સુરેન્દ્રનગર જિલ્લા NSUI પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા ના માર્ગદર્શનથી આદિત્યસિંહ પરમાર પાર્થરાજસિંહ ઝાલા દ્વારા કલેક્ટર ને આવેદન આપી કરવામાં આવી આ તબક્કે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ પટેલ પણ હાજર હતા અને મુખ્યમંત્રી અને રાજયપાલ ને મેઈલ કરી ને આ માંગ કરવા માં આવી છે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.