Abtak Media Google News

ભારતીય મઝદુર સંઘ ગુજરાત પ્રદેશના પદાધિકારીઓના પ્રતિનિધિ મંડળે તા. રર ના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની મુલાકાત લઇ વિવિધ ક્ષેત્રના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે રજુઆત કરેલી હતી. જેમાં આંગણવાડી વર્કરોને રૂ ૧૫૦૦/- નો કેન્દ્રનો વધારો આપવો. ગુજરાત સરકારે બહાર પાડેલ પરીપત્ર પાછો ખેંચવો, બોર્ડ અને નિગમના કર્મચારીઓનું ૧૯ મહીનાના સાતમા વેતન પંચનું એરીયર્સ આપવું.

આ ઉપરાંત લધુતમ વતન બોર્ડ બાંધકામ બોર્ડ કોન્ટ્રાકટ લેબર બોડ  તથા અસંગઠીત વિગેરે બોર્ડની રચના કરવા તથા બાંધકામ વર્કરોની બે વર્ષથી શિક્ષણ સહાય બંધ છે તેનું તાત્કાલીક ચુકવણું કરવા સહિતના પ્રશ્નો અંગે અનુરોધ કરેલ હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.