Abtak Media Google News

ગાદીપતિ પૂ. ગૂરૂદેવ ગિરીશમૂનિ મ.સા.ની પૂણ્યતિથિ નિમિતે જૈન પ્રોગ્રેસિવ ગ્રુપ દ્વારા શેઠ ઉપાશ્રયે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરાયું હતુ.

ભારતભરમાં જેનું અનેરૂ નામ છે. તેવા ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ.ગિરીશમૂનિ મ.સા.એ ૬૩ વર્ષના સંયમ જીવનમાં લાખો કિ.મી.નો વિહાર કરી ગોંડલ ગચ્છ અને જિનશાસનનું નામ ઉજવળ કરેલ. પોતાના અંતિમ સમયના આગલા પોણા ત્રણ વર્ષ માતુશ્રી વિજયાબેન માણેકચંદ શેઠ, શેઠ ઉપાશ્રયમાં નાતંદુરસ્ત તબીયતના કારણે બિરાજમાન થયેલ શેઠ ઉપાશ્રય ટ્રસ્ટી મંડળ જૈન, પ્રોગ્રેસીવ ગ્રુપ અને મહિલા મંડળે તેમની અલભ્ય સેવા કરેલ હતી.

૨૦૧૪માં તેઓને ગાદીપતિની પદવી અર્પણ કરવામાં આવેલ હતી. શેઠ પરિવાર સાથે તેમના અનોખો આધ્યાત્મિક નાતો હતો. ગાદીપતિ પૂ. ગૂરૂદેવ ગિરીશમૂનિ મ.સા.ની પૂણ્યતિથિ ઉપલક્ષે શેઠ ઉપાશ્રયે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ તેઓએ સ્થાપેલ જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.