કેન્દ્ર સરકાર દ્વારા રાઈટ ટુ એજયુકેશન એકટ ૨૦૦૯માં અમલમાં મુકાયો. જેમાં દરેક ખાનગી શાળા દ્વારા ઓછામાં ઓછા ૨૫ ટકા ગરીબ બાળકોને પ્રવેશ આપવો જેની સામે રાજય સરકાર દ્વારા વર્ષ પ્રમાણે શાળાઓને લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ કાયદાની જોગવાઈ મુજબ ફ્રી ટ્રાન્સપોર્ટેશન, પાઠય પુસ્તક, નોટબુકસ, ડ્રેસ અને બુટ સહિતની રકમ રાજય સરકાર આપે છે. આ સંજોગોના ૨૫ ટકા પ્રવેશ ન ફાળવતા ૨૧ હજાર બાળકો ભણતરથી વંચિત રહે છે. ત્યારે રાજય સરકારે બાળકોના ભણતરમાં વધુ ‚ા.૨૭.૩ કરોડ ગ્રાન્ટ ફાળવવા વિનંતી કરી છે. આર.ટી.ઈ.કાયદાનું બંધારણ પ્રમાણે અમલ કરાવ્યું એ શિક્ષણ વિભાગની ફરજ છે. જો આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાત એજયુકેશન કમિટી દ્વારા કોર્ટના દ્વારા ખટખટાવી ન્યાય પ્રક્રિયા પ્રમાણે દાદ માંગવામાં આવશે તેવું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
Trending
- હાઉસિંગ સોસાયટીના મકાનોની ટ્રાન્સફર ફી રૂ.50 હજારની મર્યાદામાં રખાય તેવી સંભાવના
- ઉનાળામાં રાગી ખાવાના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
- મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી : ધડાધડ 15 મિલકતો જપ્ત
- સાબરકાંઠામાં ભાજપનો ડખ્ખો જામ્યો: તમામ બેઠકો તાકિદે રદ
- આ સ્ટારની બાળકી આટલી નાની ઉમરમાં ૨૫૦ કરોડની સંપતિની માલિક બનશે..??
- મુન્દ્રામાં અદાણીએ કોપર રિફાઇનરીના કર્યા શ્રી ગણેશ
- મુકેશ અંબાણીએ અદાણીમાં હિસ્સો ખરીદ્યો
- સર્ચ જેવી કાર્યવાહીમાં કરદાતા હેરાન ન થાય તે માટે એસ.ઓ.પી જાહેર કરતું ઇનડાયરેક્ટ ટેકસ બોર્ડ