Abtak Media Google News

PNB ફ્રોડ મામલે કોંગ્રેસે શુક્રવારે પણ સરકાર પર સવાલ ઉઠાવ્યાં હતા. પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ નીરવ મોદી અને મેહુલ ચોકસીને આપેલાં LoUથી માત્ર 11,400 કરોડ રૂપિયાનું નુકસાન નથી થયું પરંતુ આ ફ્રોડ હકિકતમાં 30,000કરોડથી વધુ છે. આ સાથે જ સુરજેવાલાએ સરકાર પર આરોપ લગાવ્યો કે, PMO, ED, ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ, કોર્પોરેટ ઓફિસ, મિનિસ્ટ્રીની પાસે 7 મે, 2015થી જ આ સ્કેમની પૂરી જાણકારી હતી. તેમ છતાં 31 જાન્યુઆરી, 2017 સુધી સ્કેમ કરનારાઓ વિરૂદ્ધ કોઈ એકશન ન લેવાયા. તો કોંગ્રેસના આક્ષેપ પર પ્રતિઆક્ષેપ કરતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ કૌભાંડ UPA વખતનું છે તેમ જણાવ્યું. સાથે જ આ બેંકનું કૌભાંડ છે સરકારનું નહીં તેમ કહ્યું હતું. તો બીજી બાજુ અલ્હાબાદ બેંકના પૂર્વ ડાયરેકટર દિનેશ દુબેએ જણાવ્યું કે ગીતાંજલિ જેમ્સને લોન દેવા માટે મારા પર દબાણ બનાવાયું હતું.

Download 3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.